CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી, વિનામુલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેને ‘જમીન’ કહેવાય છે. આ દ્રષ્ટિએ પૃથ્વીની સપાતી ઉપરાંત તળાવો, નદીઓ, જનગો, પર્વતો, પૃથ્વીના પેટાળમાંની ખનીજસંપત્તિ વગેરે ‘જમીન’ કહેવાય છે.
જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. તે કુદરતી બક્ષિસ છે. મનુષ્ય દ્વારા તેનું સર્જન થઈ શકતું નથી. તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે.
જમીન માનવસર્જિત સાધન નથી, તેથી એનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે. આથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલૉજી દ્વારા તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે.
જમીનની ગતિશીલતા મર્યાદિત છે. જમીન ભૌગોલિક ગતિશિલતા ધરાવતી નથી. એક ખેતરને બીજે સ્થળે લઈ જઈ શકાતું નથી.
જમીનમાં વિવિધતા છે. ફળદ્રુપતા અને ઉપયોગીતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. જમીનની ગુણવત્તા પણ એકસરખી હોતી નથી.