CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત્ત, ત્સુનામી જેવાં કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણનાં જળ, જમીન અને વાયુ પ્રદુષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાથી ઘટના ‘પર્યાવરણીય અતિક્રમણ’ કહેવાય છે.
પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો:
(1) ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા: પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રજેણાક વિસ્તારથી દુર યોગ્ય સ્થાને સ્પાપીને, સારાં યંત્રો અને ઉપકરણો વિસાવીને તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદુષણ ઘટાડી શકાય છે.
(2) ઈંધણની યોગ્ય પસંદગી: ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા-પ્રદુષણ ઓછું કરી શકાય છે. દા. ત., ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનીજ તેલના ઉપયોગથી ઘુમાડો રોકી શકાય છે.
(3) હવામાં ઉત્સર્જિત થતા પ્રદુષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવાં સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે.
(4) ઉદ્યોગો દ્વારા પ્રદુષિત જળને નદીઓમાં છોડતાં પહેલાં તેનું શુદ્વીકરણ કરવાથી જળ-પ્રદૂષણ ઘટાડી શકાય છે.
(5) ઉદ્યોગોના પ્રદુષિત પાણીએને વિવિધ પ્રક્રિયાઊ દ્વારા શુદ્વ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે.
(6) જમીન અને ભૂમિનું પ્રદુષણ નિયંત્રિત કરવા માટે ત્રણ પ્રવૃત્તિઓ મહત્વની છે : (1) વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, (2) પુન:ચક્રીય કચરાને અલગ પાડી તેને ઉપયોગી બનાવવો અને (3) બાકીના કચરાને જમીન-ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો.