CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
તે આર્થિક અને સંરક્ષણની દ્રષ્ટિએ દેશના ઉત્તમ કક્ષાના સડક માર્ગો છે.
તે દેશનાં અગત્યનાં મહાબંદરો, બંદરો, રાજ્યોનાં પાટનગરો, મોટાં ઔદ્યોગિક અને વ્યાપારી મથકો અને વ્યુહાત્મક સ્થાનોને જોડે છે.
તેનું નિર્માણ અને જાળવણી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
તે મ્યાનમાર, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, ચીન જેવા પાડોશી દેશોને ભારત સાથે જોડે છે.
સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના એ દિલ્લી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા આ ચાર મહાનગરોને જોડનારી યોજના છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગોને ક્રમાંક આપવામાં આવ્યા છે. જેમ કે 27, 41, 47, 48, 141, 147 વગેરે નંબરના રાસઃટ્રીય ધોરી માર્ગો ગુજરાતમાંથી પસાર થાય છે.
વારણસી-કન્યાકુમારીને જોડતો ધોરી માર્ગ નંબર 7 દેશનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે.
જનસંખ્યાની દ્રષ્ટિએ દેશમાં ચંડિગઢ, પુંડુચેરી, દિલ્લી, ગોવા વગેરે પ્રદેશોમાં આ માર્ગોની લંબાઈ વધુ છે; જ્યારે વધારે વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ ઓછી છે.
સમૂહસંચારમાં શાનો સમાવેશ થાય છે ?
ભારતમાંથી નિકાસ થતી મુખ્ય ચીજવસ્તુઓ કઈ કઈ છે ?