CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ખનીજ તેલ પરંપરાગત કે વ્યાપારી શક્તિ-સંસાધન ગણય છે. તે પુનઃઅપ્રાપ્ય શક્તિ-સંસાધન ગણાય છે. તે પુનઃઅપ્રાપ્ય શક્તિ-સંશાધન પણ છે.
ખનીજ તેલની ઉત્પત્તી : તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે. આજથી કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પરનાં પ્રાણીઓ ભુગર્ભમાં દટાયાં અને તેમનું હાઈડ્રોકાર્બન્સ રૂપાંતર થયું. એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું. આવા કેટલાક ખનીજ તેલ અને કુદરતી વાયુમુક્ત સ્તરો ભૂસંચાલનના કારણે સમુદ્રમાંથી બહાર ઊંચકાઈ આવ્યા. તો કેટલાક સમુદ્રસ્તળિયે જ રહ્યા.
ખનીજ તેલની પ્રાપ્તિ : ઈ.સ. 1886માં ભારતમાં અસમનાં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો. તેમાં સફળતા મળતા દેશમાં ખનીજ તેલના ભંડાર શોધવાના સક્રિય પ્રયત્નો શરૂ થયાં. આજે ભારતમાં મુખ્યત્વે ખંભાતના અખાત અને અરબ સાગરના ‘બોમ્બે હાઈ’ ગુજરાત અને અસમમાંથી તથા થોડા પ્રમાણમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડું અને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાંથી ખનીજ તેલ મેળવવામાં આવે છે.
ખનીજ તેલના ભંડારોના વિભાગો : ભારતના ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે : (1) ઉત્તર-પૂર્વના તેલક્ષેત્રો. (2) ગુજરાતનાં તેલક્ષેત્રો, (3) બૉમ્બે હાઈનાં તેલક્ષેત્રો, (4)
પૂર્વ કિનારાનાં તેલક્ષેત્રો અને (5) રાજસ્થાનનાં તેલ ક્ષેત્રો.
ખનીજ તેલના ઉપયોગો : ખનીજ તેલ પરિવહન તેમજ ઉદ્યોગોમાં યાંત્રિક સાધનોનાં સંચાલન બળ કે બળતણ તરીકે વપરાય છે. ખનીજ તેલની આડપેદાશોમાંથી પ્લાસ્ટિક, રંગો, રસયણો, રાસાયણિક ખાતર, વાર્નિશ, આલ્કોહોલ, પૅરેફિન, જંતુનાશક દવાઓ, સિન્થેટિક રેસા વગેરે બને છે.
ચૂનાના પથ્થરનાં ઉપયોગો જણાવો.