CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે ‘વૃષ્ટિજળ સંચય’ કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધાર ખેત-તલાવડીઓ વગેરેના નિર્મિત દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભુમિમાં જળસંચય થઈ ભુમિગત જળને સપાટી ઊંચે આવે છે. સંચિત વૃષ્ટિજલના અનેકવિધ ભુમિગત જળની સપાટી ઊંચી આવે છે. સંચિત વૃષ્ટી જળસંચય ના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે.
પાણીની વધતી જતી માંગ પૂરી કરવી.
સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું.
સડકમારર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
ભુમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી. ભૂમિગત જળનું પ્રદુષણ ઘટડવું અને તેની ગુણવત્તામાંસુધારો કરવો.
વરસના સુષ્ક સમયગાળામાં પાણીની જરૂરીયાતને પહોંચી વળવું.
વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમા પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું. ખેતરોની ફરતે ઉંડી નીકો ખોદવી, નાની નદીઓ પર બંધારા બાંધવા, મકાનોના ધાબાં કે છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટાં વરસાદી ટાંકાં બનાવવા વગેરેનો સમાવેશ થાય છે.