Chapter Chosen

ભારત: જળ સંસાધનો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. 

નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવાં અને તેના પાણીનો ઉપયોહ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂરનિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ આંતરિક પરિવહન, મત્સ્ય-ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહેવાય છે.

બહુહેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે :

બંધોથી બનેલાં જળશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત-ઉત્પાદનમાં વધારો કરવો.

બંધોના પાણી દ્વારા જળવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો.

ઉદ્યોગો અને મોટી વસહતોને પાણી પૂરું પાડવું.

નદીઓમાં આવતાં વિનાશક પૂરને અંકુશમાં લઈ નદીકાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી.

જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસ કરવો.

બંધોથી રચાયેલાં જળાશયોમાં મત્સ્યકેન્દ્રો ઉભાં કરવાં અને મત્સ્યોદ્યોગ વિકસાવવો.

નદીના કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્ય જીવ સંરક્ષણ કરવું.

લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો.


Advertisement
સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો. 

વૃષ્ટિજળ સંચય વિશેની માહિતી આપો. 

ભારતમાં જળસંકટ સર્જાવાના સંજોગો જણાવો. 

જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો.

Advertisement