CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓના વિકાસ તથા કલ્યાણ માટે બંધારણમાં નીચે પ્રમાણે સમાન્ય જોગવાઈઓ કરવામાં આવી છે.
બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા, અથવા તેમાંના કોઈના આધારે 1. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહિ. 2. દુકાનો, જાહેર રેસ્ટોરા, હૉટલો અને જાહેર મનોરંજનનાં સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા 3. કૂવા, તળાવ, નાહવા, માટેના ઘાટો, રસ્તાઓ, સંપૂર્ણ અથવા અશંતઃ રાજ્ય તરફથી નિભાવાતાં સ્થળોના અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલાં સ્થળોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહિ તેમજ ભેદભાવ દાખવી શકાશે નહિ.
બંધારણના અર્ટિકલ 29 પ્રમાણે : 1. ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. 2. કેવળ, ધર્મ, જ્ઞાતિ, ભાષા કે પોતાની કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવતી અથવા નાણાકિય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકશે નહિ.