Chapter Chosen

ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લઘુમતિઓનાં કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. 

Advertisement
અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. 

અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓના વિકાસ તથા કલ્યાણ માટે બંધારણમાં નીચે પ્રમાણે સમાન્ય જોગવાઈઓ કરવામાં આવી છે.

બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા, અથવા તેમાંના કોઈના આધારે 1. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહિ. 2. દુકાનો, જાહેર રેસ્ટોરા, હૉટલો અને જાહેર મનોરંજનનાં સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા 3. કૂવા, તળાવ, નાહવા, માટેના ઘાટો, રસ્તાઓ, સંપૂર્ણ અથવા અશંતઃ રાજ્ય તરફથી નિભાવાતાં સ્થળોના અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલાં સ્થળોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહિ તેમજ ભેદભાવ દાખવી શકાશે નહિ.

બંધારણના અર્ટિકલ 29 પ્રમાણે : 1. ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. 2. કેવળ, ધર્મ, જ્ઞાતિ, ભાષા કે પોતાની કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવતી અથવા નાણાકિય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકશે નહિ.


Advertisement
સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે શું શું કરવું જોઈએ ?

આતંકવાદની સામાજિક અસરો જણાવો. 

આતંકવાદથી આર્થિક અસરો જણાવો. 

Advertisement