Chapter Chosen

ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. 

લઘુમતિઓનાં કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. 

Advertisement
સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે શું શું કરવું જોઈએ ?

સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે નીચે પ્રમાણે પ્રયત્નો કરવા જોઈએ.

સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખતાઈથી કામ લેવું. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું જોઈએ નહી તેમજ સમાધાન કરવું નહિ.

શિક્ષણ દ્વારા સાંપ્રદાયિક અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે, તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારાં તત્વો દાખલ કરવાં જોઈએ. તદુપરાંત, શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મસમભાવનો દ્રષ્ટિકોણ વિકસાવી શકાય છે.

ભારતના ચૂંટણી પંચે સાંપદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહિ. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો.

રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારાં શ્રેષ્ઠ વીજાણુ માધ્યમો છે, રેડિયો અને ટેલિવિઝનને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમા પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મસમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈ. રેડિયો અને ટેલિવિઝને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.

સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબુદ કરવા કમર કસવી જોઈએ.

યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબુદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ.

સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના વડાઓ વગેરેએ સાથે મળીને સંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ.

ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્રગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ, જે તમનામાં ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.


Advertisement
આતંકવાદની સામાજિક અસરો જણાવો. 

આતંકવાદથી આર્થિક અસરો જણાવો. 

Advertisement