CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતના બંધારણે દેશની બધીજ લઘુમતિઓને બહુમતિઓના જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે ‘રાષ્ટ્રીય લઘુમતી પંચ’ની રચના કરી છે. આ ઉપરાંત, ભારતમાં ખાસ કરીને મુસ્લીમ લઘુમતી માટે સરકારે ‘મુસ્લીમ પર્સનલ લૉ’ બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમનાં હિતોનું રક્ષણ કરે છે.
ધર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપી છે કે તેઓ પોતાના ધર્મના પ્રસાર, પ્રચાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા સ્વતંત્ર છે.
કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો નથી. સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકતું નથી.
સરકારી આર્થિક સહાય કેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક સિક્ષણ આપી શકાતું નથી.
તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તી કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે.
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતિઓ પોતની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે.
લઘુમતિઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતાં અટકાવી શકશે નહિ.
સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે.
રાજ્ય સરકારો ભારતની બધી લઘુમતિઓનાં બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં આપવાની સુવિધા કરે છે.