CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આતંકવાદની મુખ્ય આર્થિક અસરો નીચે પ્રમાણે છે :
આતંકવાદથી જે-તે પ્રદેશના વેપાર-ધંધાનો વિકાસ રૂંધાય છે.
આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે.
કેટલાંક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમાંત વેપારીઓ પાસેથી ડરાવી-ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે.
આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન-પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતાં નથી.
આતંકવાદથી પ્રદેશના લોકો અન્ય વિસ્તારોમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી નહિ મળવાને કારણે તેઓ નશીલ પદાર્થનું સેવન કરે છે; ક્યારેક ચોરી-લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ કરે છે.
આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશોમાં વિકાસના કામો ઓછા પ્રમાણમાં થાય છે.
સરકારે બાંધેલા અનેક બાંધકમો જેવાં કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઈમારતો વગેરેનો બૉમ્બવિસ્ફોટોથી નાશ કે નુકશાન થવાથી કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ બાંધકામોના પુનનિર્માણ કે સમારકામમાં સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રેદેશની વિકાસ યોજનાઓ સમયસર પૂરી થઈ શકતી નથી કે નવી યોજનાઓ હાથ ધરી શકાતી નથી.
આંતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગોને આર્થિક નુકશાન થાય છે.
આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે-તે પ્રદેશના ઉદ્યોગ-ધંધા અને વાહનવ્યવહાર પર થાય છે. તેથી ત્યાં જીવનજરૂરિયાતોની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવવાધારો જોવા મળે છે. લાચરુશવત અને ભ્રષ્ટાચારની બદી ફેલાય છે.