CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક સૂત્ર રૂપે કહી શકાય કે, ‘સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત.’
દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતાં પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સમજની સંસ્કૃતિનું ઘડતર થાય છે.
મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી. મેલિનોવ્સ્કીના મતે ‘સંસ્કૃતિ એટલે માનવમનનું ખેડાણ’.
સંસ્કૃતિ એટલે માનવસમાજની ટેવો, મૂલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લી જતા આદર્શનો સરવાળો.
સંસ્કૃતિ એટલે’ગુફાથી ઘર’ સુધીની માનવજાતની વિકાસયાત્રા.
ઈતિહાસમાં ‘સંસ્કૃતિ’ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ-સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વાપરવામાં છે.
સંસ્કૃતિમાં વિચારો, બૂદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાનાં મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલાં સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિતકલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્યકલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે.
સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજાસમૂહની આગવી જીવનશૈલી (The Why of life) નો સમાવેશ થાય છે.