CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પાકૃતિક વારસાનો અર્થ : પ્રાકૃતિક વારસો એટલે “પ્રાકૃતિ, પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેનાં અત્યંત નજીકના સંબંધોનું પરિણામ.” પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે.
પ્રાકૃતિક વારસામાં સમાવેશની થતી બાબતો : ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે :
ભારતના પ્રકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણાં, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણપ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા-વેલીઓ, પર્ણો-પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે.
હવામાનમાં થતાં પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે.
આપણાં પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે.