Chapter Chosen

ભારતનો વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.

ટુંક નોંધ લખો: પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર

Advertisement
પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.

પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિ:

નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ-ઔષધીઓની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.

નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. નાગાર્જુને ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામનાં પુસ્તકો લખ્યાં છે.

પારાની ભસ્મ કરીને તેને ઓષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે.

નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી.

રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, દસ પ્રકારનાં વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે.

બિહારના ભગલાપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી bold 7 bold 1 over bold 2 ફુટ ઉંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાંની બુદ્ધપ્રતિમા પ્રાચીન ભારતમાં રાસાયણવિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે.

ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્લીમાં મહરોલી પાસે 24 ફુટ ઉંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો.

અંદાજીત સુધી ટાઢ-તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણવિદ્યાની એક આશ્વર્ચજનક બાબત છે.


Advertisement
પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.

વૈદિકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો.

Advertisement