CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ:
ભારતે વિશ્વને શુન્યની સંજ્ઞાની, દશાંશ-પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.
મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શુન્ય(0)ની સંજ્ઞાની અને દશાંશ-પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના 'આર્યભટ્ટીયમ્' ગ્રંથમાં (પાઈ)ની કિંમત (3.14) જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે, ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે.
આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટેને 'ગણિતશાસ્ત્રના પિતા' કહેવામાં આવે છે. આર્યભટ્ટે 'દસગીતિકા' અને 'આર્યસિદ્વાંત' નામના ગ્રંથો લખ્યા હતા. 'આર્યસિદ્ધાંત' ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મુળભૂત પ્રશ્નોના ઉકેલ શોધ્યો હતો.
'ગૃત્સમદ' નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય (0) લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.
પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નક્કી કર્યાં હતાં.
'મોહેં-જો-દડો' અને 'હડપ્પા'ના અવશેષોમાં માપવા અને તોલવા માટેનાં સાધનોમાં 'દશાંશ-પદ્વતિ' હતી, તેનો પરિચય પ્રાચીન સમયમાં 'મેઘાતિથી' નામના ગણિતશાસ્ત્રીએ આપ્તો હતો.
ઇ.સ. 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે 'લીલાવતી ગણિત' નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત, તેમણે બીજગણિત, અંકગણિત, અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે + (સરવાળા) અને - (બાદબાકી)ની શોધો કરી હતી.
ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.
ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનાં પ્રમાણ નક્કી કર્યાં હતાં.
ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી હતી.