CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કથકલી નૃત્ય વિશે સમજ આપો.
‘ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે.’ તેની સ્પષ્ટતા કરો.
પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ તે પહેલા લોકો માટીમાંથી બનાવેલાં પાત્રોનો ઉપયોગ કરતા હતા.
એ સમયે રમકડાં, ઘડો, કોડિયું, કુલડીમ માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતાં હતાં.
અનાજનો સંગ્રહ કરવાની નાની-મોટી કોઠીઓ માટીમાંથી બનાવતી, ઘી, તેલ, દૂધ, દહીં, છાસ વગેરે પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતાં.
ગામડાંનાં બધા જ ઘરોની દીવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી હતી.
ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી(ટેરાકોટા)નાં વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો પરિચય આપણને તેલંગણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લામા લાંઘઞમાંથી મળી આવેલા હાથથી બનાવેલાં માટેનાં વાસણોના જૂના અવશેષો પરથી મળે છે. લોથલ, મોંહે-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલાં, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યાં છે.
કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે.
આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો (કોરેલો માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે.) જોવા મળે છે.