Chapter Chosen

ભારતનો સાંસ્કૃતિક વારસો: પરંપરાઓ: હસ્ત અને લલિત કલા

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સંગીત રત્નકરનો પરિચય આપો. 

કથકલી નૃત્ય વિશે સમજ આપો.


Advertisement
નૃત્યકલાક્ષેત્રે ભારતે કરેલી પ્રગતી સમજાવો. 

નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. નૃત્યના આદિદેવ ભગવાન શંકર ‘નટરાજ’ કહેવાય છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌપ્રથમ તે નૃત્યને તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની મન્યતા છે.

ભારતમાં ભરતનાટ્યમ, કુંચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે.

‘ભરતનાટ્યમ’ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે, તેનું ઉદ્દભવસ્થાન તાંજોર જિલ્લો ગણાય છે.

ભરતનાટ્યમનો મુખ્ય આધાર-સ્ત્રોત ભરતમુનિરચિત ‘નાટ્યશાસ્ત્ર’ અને નાન્દિકેશ્વરરચિત ‘અભિનય દર્પણ’ નામના ગ્રંથો છે.

ભરતનાટ્યમના ખ્યાતનામ કલકારોમાં મૃણાલીની સરાભાઈ, ગોપીકૃષ્ણ, વૈજયંતિમાલા, હેમામાલિની વગેરે મુખ્ય છે.

‘કુંચિપુડી’ નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે. તેની રચના 15મી સદી દરમિયાન થઈ છે.

તે મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય કરે છે.

કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સંકળી લેવામાં આવી છે.

ગુરુ પ્રહલાદ શર્મા, રાધા રાજા રેડ્ડી, યામિમી રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ કુંચીપુડી નૃત્યશૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવી છે.

કથકલી એ કેરલ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે.

આ નૃત્યશૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે.

આ નૃત્યનાં પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિતરામણને સમજવું પડે છે.

કેરલના કવિ વલ્લભથોળ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે નર્તકોએ કથકલી નૃત્યને દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા અપાવી છે.

‘કથક’ના નામના કથા રહેલી છે. ‘કંથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે.

કથક નૃત્ય શ્રીકૃષ્ણાના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાની શૃગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે.

પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદીની લાખિયા વગેરે આ નૃત્યકલાને જીવંત રાખી છે.

મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુરી રાજ્ય છે. મણીપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે.

આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે.

મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે.

આ નૃત્યમાં નર્તક ‘કુમીન’ તરીકે ઓળખાતો ઘેરા લીલા રંગનો ચણિયો અને રચમનો કબજો(બ્લાઉઝ) પહેરીને કમરે પટ્ટો બાંધે છે.


Advertisement
પ્રાચીન ભારતનાં વારસાની માટીકામ કલા સમજાવો. 

‘ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે.’ તેની સ્પષ્ટતા કરો.


Advertisement