Chapter Chosen

ભારતનો સાહિત્યિક વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. 

નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લામા બદગાંવ ગામ પાસે આવેલી હતી.

નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો.

મહાવીર સ્વામીએ અહીં ચૌદ ચાતુર્માસ કર્યા હતા. તેથી જૈન ધર્મનું તીર્થ બન્યુ હતું.

ઈસુની 5મીથી 7 સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ ધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ-પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા.

આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખીત ગ્રંથોના અમુલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ‘ધર્મગંજ’ના નામથી ઓળખાતો હતો.

7મી સદીમાં ચીની પ્રવાસી યુઅન-શ્વાંગે આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધધર્મનાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખીત ગ્રંથો પોતાની સાથે લી ગયો હતો.

નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા. તેમાં વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલાં અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરાં પાડવામાં આવતાં હતાં.

નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૈદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.

લગભગ 700 વર્ષ સુધી દેશ-પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે.


Advertisement
મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. 

ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો. 

તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. 

યજુર્વેદ વિશે સમજૂતી આપો.


અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે ?


Advertisement