CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વન – સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે :
બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌરઊર્જા, પવનઊર્જા, બાયઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા.
બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેની સામગ્રી માટે સંશોધનો હાથ ધરવાં.
જરૂરિયાત કે નિર્માણ કાર્યકાર્ય માટે જે વૃક્ષો અનિવર્યપણે કાપવાં પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિનાં વૃક્ષો વાવવાં જોઈએ. અપરિપક્વ વૃક્ષોનાં કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ.
ઈકો –ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું.
સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જન જાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરવું.
શાળા-કૉલેજોના પાઠ્યપુસ્તકોમાં વન – સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યર્થીઓને વન – સંરક્ષણની જરૂરિયાત સમજાવવી.
ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવાં.
વન – સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવાથી બીજાં તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે.
દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રિય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું.
જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જંગલ દૂષિત થાય છે.
પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ.