Chapter Chosen

વન અને વન્ય જીવ સંસાધન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું ? 

વન – સંરક્ષણના ઉપયો જણાવો. 

ગુજરાતમાં અગાઉ કયાં કયાં વાઘ જોવા મળતા હતા ? 

Advertisement
વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો. 

વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ :

વાઘ પરિયોજના : અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોન વિનાશને કારણે ભારતાના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈ. સ. 1971માં ‘વાઘ પરિયોજના’ (ટાઈગર પ્રૉજેક્ટ) શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યાં. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલાં ક્ષેત્રો કાર્યરત છે.

હાથી પરિયોજના : હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગો નું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈ. સ. 19192 માં ‘હાથી પરિયોજના’ શરૂ કરી છે.

આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો છે. આ યોજનાનો અંતર્ગત પાલતુ હાથીઓના પાલનપોષણ માટે કામગીરી કરવામાં આવે છે.

ગેંડા પરિયોજના : આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેલા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારત ‘રાઈનો વિઝન’ ની વ્યૂરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ઘડિયાલ પરિયોજના : મીઠા પાણીમાં રહેલી ઘડિયાલ નામની મગરોની પ્રજાતિ ઈ. સ. 1970ના દસકામાં લુપ્ત થવાને આરે હતી. મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે.

ગીધ પરિયોજના : ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈ. સ. 2004માં ‘ગીધ પરિયોજના’ શરૂ કરી છે.

હિમદીપડા પરિયોજના : હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છાદિત ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકરી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય એ ઉદ્દેશથી ભારત સરકારે ઈ. સ. 2000માં ‘હિમદીપડા પરિયોજના શરૂ કરી છે.

ઉપર દર્શાવેલી પરિયોજનાઓ ઉપરાંત, દેશમાં ‘કાશ્મીરી હંગુલ પરિયોજના’, ‘લાલ પાંડા પરિયોજના’, ‘મણિપુર થામિલ પરિયોજના’, ‘ગંગા ડૉલ્ફિન પરિયોજના’ વગેરે પરિયોજનાઓ કાર્યરત છે.


Advertisement
જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો. 

Advertisement