Chapter Chosen

સામાજિક પરિવર્તન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેરે વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચો.

કેન્દ્ર સરકારે 5 જુલાઈ, 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કર્યો. આ કાયદાની અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણસંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ નીચે પ્રમાણે છે :

આ કાયદા મુજબ તથા ‘મા અન્નપૂર્ણા યોજના’ મુજબ રાજ્યના શહેર જે ગ્રામ્ય વિસ્તારનાં જરૂરિયાતમંદ માધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. તદુપરાંત, રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચી જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે.

આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાયરૂપે રૂ. 6,000 આપવામાં આવશે.

આ કાયદા હેઠળ રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં ‘અન્ન સુરક્ષા ભથ્થું’ મેળવવા હકદાર બનાવી શકાય છે.

આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ, અયોડાઈઝ મીઠું અને કેરોસીન તથા વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહતદરે વાજબી ભાવની દુકાનો દ્વારા આપવામાં આવે છે.

આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રીમ કુટુંબોની યાદીઓ સુધારીને અદ્યતન બનાવશે. એ યાદીનાં નામોની યાદીઓ દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામપંચાયતોની ગ્રામસભાઓમાં, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની વોર્ડસભાઓમાં, ઈ-ગ્રામ કે વાજબી ભાવની દુકાનો પર તેમજ મામલતદાર કચેરીમાં અને પુરવઠાની વેબ સાઈટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે.

જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ‘બાયોમૅટ્રિક ઓળખ’, ‘એપિક કાર્ડ’, ‘બારકોડેડ રેશનકાર્ડ’, ‘અન્ન કૂપન’ અને ‘વેબ કેમેરાથી ઈમેજ’ વગેરે પગલા ભરવામાં આવ્યાં.

રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ કરવા ‘રાજ્ય અન્ન આયોગ’ની રચના તેમજ ‘ફૂડ કમિશ્નર’ની નીમણુક કરવામાં આવશે.


Advertisement
વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો. 

બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો. 

માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી, માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. 

સામાજિક પરિવર્તન થવાનાં મુખ્ય પરિબળો જણાવો. 

ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 

Advertisement