CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનોવિજ્ઞાનના અભ્યાસ માટે ઉપ્યોગમાં લેવાતી મુખ્ય છ અભ્યાસ પદ્ધતિઓ કઈ છે ?
નિરીક્ષણ પદ્ધતિ એ પ્રત્યેક વિજ્ઞાનની મૂળભુત પદ્ધતિ છે. મનોવિજ્ઞાનન માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનના અભ્યાસ માટે ‘નિરીક્ષન પદ્ધતિ’નો વ્યાપકપણે ઉપયોગ કરે છે. નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો છે : 1. આંતરનિરીક્ષણ પદ્ધતિ. 2. કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, 3. વ્યવસ્થિત નિરિક્ષણ પદ્ધતિ, 4. ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, 5. સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને 5. તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ.
આંતરનિરિક્ષણ પદ્ધતિ (Introspective Method) : ‘આંતરનિરિક્ષણ પદ્ધતિ’ એટલે વ્યક્તિના પોતાના મનમાં ચાલતા મનોવ્યાપારોનું સ્વરૂપ જાણવા અંતર્મુખ થઈને કરવામાં આવતું તટસ્થ અને ચોક્કસાઈપૂર્વકનું નિરીક્ષણ.
ચેતનાનો અભ્યાસ કરવા માટે રચનાવાદી મનોવિજ્ઞાનિકોએ આંતરનિરિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વ્યક્તિનાં સંવેદનો, લાગણી, પ્રતિમા, વિચારણા, તર્ક, અનુભવ વગેરે મનોવ્યાપારોના અભ્યાસ માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
આ પદ્ધતિમાં વ્યક્તિએ અંતર્મુખ થઈને પોતાના મનોવ્યાપારો પર ધ્યાન કેન્દ્રીત કરવાનું હોય છે. આમ, કરતી વખતે વ્યક્તિએ પોતાના મનમાં ચાલતા માનસિક વ્યાપારોનું વિશ્ર્લેષણ કરવાનું હોય છે.
પોતાના અનુભવો કયા તબક્કાઓમાં અને કયા ક્રમમાં આવે છે તેમજ તે કેટલા સમય સુધી રહે છે, કેટલા સ્પષ્ટ અને તીવ્ર છે વગેરેનું વર્ણન મૌખિક કે લેખિત સ્વરૂપમાં કરવાનું હોય છે. વ્યક્તિએ અનુભવેલી લાગણીઓની તીવ્રતા પણ દર્શાવવી એ આ પદ્ધતિનું હાર્દ છે. આ કાર્ય તાલીમબદ્ધ વ્યક્તિ સરળતાથી કરી શકે છે.
રૂથ નામના મનોવિજ્ઞાનિક તેને ‘સભાન અનુભવો અને માનસિક ક્રિયાના અવલોકનની પદ્ધતિ’ કહેવામાં આવે છે.
લાભ : આ પદ્ધતિ સાદી અને સરળ છે. કારણ કે પદ્ધતિના ઉપયોગ માટે સાધનો જરૂરી નથી.
આ પદ્ધતિનો ઉપયોગ ગમે ત્યારે અને ગમે તે સ્થળે થઈ શકતો હોવાથી તેને ‘હરતી ફરતી પ્રયોગશાળા’ પણ કહેવાય છે.
મર્યાદા : દરેક વ્યક્તિ માટે પોતાના અનુભવો અંગત અને ખાનગી હોય છે. આ પદ્ધતિ દ્વારા મેળવેલી માહિતી આત્મલક્ષી હોય છે. અન્ય વ્યક્તિ દ્વારા આ માહિતીની ચકાસણી શક્ય નથી.
આ માહિતી આત્મલક્ષી હોવાથી તેનું સામાન્યીકરણ કરવું યોગ્ય નથી. આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ પોતાના સંવેદનો અને અનુભવનું નિરિક્ષણ થઈ શકતું નથી.
આ પદ્ધતિનો ઉપયોગ પુખ્ત, અનુભવી અને તાલીમ પામેલી વ્યક્તિ જ કરી શકે છે. સામાન્ય વ્યક્તિ માટે આંતરનિરીક્ષણ કરવું સરળ હોતું નથી. પ્રાણીઓ, બાળકો, અશિક્ષિત વ્યક્તિઓ અને માનસિક રોગીઓ માટે આ પદ્ધતિ દ્વારા મનોવ્યાપારોનો અભ્યાસ કરવો શક્ય નથી.
વ્યક્તિના અચેતન મનનો અભ્યાસ આ પદ્ધતિ દ્વારા થઈ શકતો નથી.
આ પદ્ધતિમાં નિરીક્ષકના પૂર્વગ્રહો અને પક્ષપાતો નિરીક્ષણને દૂષિત બનાવે છે.
કેટલાક વિચારો માનવીના મનમાં ક્ષણાર્ધ માટે આવીને ચાલ્યા જાય છે. તેથી તેમનું આંતરનિરીક્ષણ મુશ્કેલ હોય છે.
આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ ‘સાચુ’ કહે છે કે ‘સારું’ તે જાણી શકાતું નથી.
આ પદ્ધતિમાં પુનરાવર્તનને અવકાશ નથી.