Chapter Chosen

ચેતનાની બદલાયેલી અવસ્થાઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ટુંકનોંધ લખો. 
અષ્ટાંગ યોગ   

Advertisement
ટુંકનોંધ લખો. 
ચેતનાની બદલાયેલી અવસ્થાઓ 

સામાન્ય જાગ્રત અવસ્થાથી નોંધપાત્ર રીતે ભિન્ન અને હંગમી ચેતનાની અવસ્થાને ‘ચેતનાની બદલાયેલી અવસ્થા’ કહેવાય છે. સંક્ષેપમાં ‘એએસસી’ કહેવામાં આવે છે.

સૌપ્રથમ ઈ.સ. 1966માં આર્નોલ્ડ લુડવિંગ નામના મનોવિજ્ઞાનિકે ‘ચેતનાની બદલાયેલી અવસ્થા’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ઈ.સ. 1969માં મનોવિજ્ઞાનિક ચાર્લ્સ ટાર્ટ દ્વારા આ શબ્દપ્રયોગ વધુ પ્રચલિત બન્યો.

લુડવિંગે આપેલી વ્યાખ્યા મુજબ, “શારીરિક મનોવિજ્ઞાનિક કે ઔષધીય માધ્યમ દ્વારા સર્જાયેલી, જાગ્રત કરતાં ભિન્ન એવી ચેતનાની અવસ્થા એ ’ચેતનાની બદલાયેલી અવસ્થા’ છે.”

ચેતનાની બદલાયેલી અવસ્થા એ સાહજિક, આકસ્મીક, સ્વૈચ્છિક જે હેતુપૂર્વક ઉત્પન્ન કરેલી હોય છે.

‘નિંદ્રા’ તથા ‘સ્વપ્ન’ એ ચેતનાની સાહજિક રીતે બદલાયેલી અવસ્થા છે.

તીવ્ર આઘાતજનક અનુભવ, આંચકી, ઑક્સિજનની ન્યુનતા, નિંદ્રાનો અભાવ, ઉપવાસ, અપચો, અતિશય તાવ વગેરે શારીરિક અને મનોરોગશાસ્ત્રીય કારણોને લીધે બદલાતી ચેતનાની અવસ્થા એ અચાનક અને આક્સ્મિક રીતે બદલાયેલી ચેતનાની અવસ્થા છે.

સંંમોહન, ધ્યાન, સંવેદનની વંચિતતા, મનોઔષધોના ઉપયોગ વગેરેથી બદલાયેલી ચેતનાની અવસ્થાને સ્વૈચ્ચિક અને હેતુપૂર્વક રીતે બદલાયેલી ચેતનાની અવસ્થા કહેવામાં આવે છે.

આમ, સહજ રીતે ‘સ્વ’ પ્રયત્ને, અન્ય દ્વારા, આકસ્મિક, મનોશરીરિક પરિવર્તનો દ્વારા અથવા દ્રવ્યના માધ્યમથી જ્યારે જાગ્રત અવસ્થાથી જુદા જ પ્રકારની અવસ્થા અસ્તિત્વમાં આવે ત્યારે તેને ‘ચેતનાની બદલાયેલી અવસ્થા’ કહેવામાં આવે છે.

ચેતનાની બદલાયેલી અવસ્થા દરમિયાન વ્યક્તિમાં નોંધપત્ર રીતે બોધાત્મક અને વાર્તનિક પરિવર્તન આવે છે.

ચેતનાની બદલાયેલી અવસ્થાનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં સૌપ્રથમ વ્યક્તિની પોતાના અંગેની સભાનતા ઘટતી જાય છે. જ્યારે વ્યક્તિની ‘સ્વ’ સભાનતા અને વાતાવરણ અંંગેની સભાનતા ઘટતી જાય છે. જ્યારે ચેતનાની બદલાયેલી અવસ્થા એ વિભાજિત ચેતનાની અવસ્થા નથી, પરંતુ ચેતનાની રૂપાંતરિત અવસ્થા છે. વિભાજિત ચેતનાની અવસ્થામાં વ્યક્તિની ઓળખ અને સાતત્ય બદલાઈ જાય છે. જ્યારે ચેતનાની બદલાયેલી અવસ્થામાં ચેતનાની ‘સ્વ’ ઓળખ અને સાતત્ય બદલાતાં નથી.

‘ચેતના’ કરતાં પણ ‘ચેતનાની બદલાયેલી અવસ્થા’ અને તેના શારીરિક તથા વાર્તનિક પરિણામો અંગે મનોવિજ્ઞાનમાં સૌથી વધુ આનુભવિક સંશોધનો થયાં છે.


Advertisement
ટુંકનોંધ લખો. 
ધ્યાન : ચેતનાની બદલાયેલી અવસ્થા તરીકે  

ટુંકનોંધ લખો. 
ભાવાતીત ધ્યાન અંગેના વૈજ્ઞાનિક અભ્યાસો    

ટુંકનોંધ લખો. 
મનોઔષધો     

Advertisement