Chapter Chosen

પ્રેરણા અને આવેગ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ટુંકનોંધ લખો. 
સ્નેહ અને સંપર્કની પ્રેરણા   

ટુંકનોંધ લખો. 
ઊંઘની પ્રેરણા  

ટુંકનોંધ લખો. 
આવેગના અભિવ્યક્તિના આધારો   

Advertisement
ટુંકનોંધ લખો. 
સત્તાની પ્રેરણા 

મનોવિજ્ઞાનિકોએ પ્રેરનાના મુખ્ય બે પ્રકાર આપ્યા છે : 1. શારીરિક અને 2. મનોસામાજિક પ્રેરણા.

માનવીના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રેરણાની જેમ મનોસામાજિક પ્રેરણાઓનો સંતોષ પણ જરૂરી છે. આ પ્રેરણાઓનો અસંતોષ વ્યક્તિમાં નિષેધ માનસિક અસરો જન્માવે છે. સિદ્ધિ, સંલગ્નતા, સત્તા, સ્નેહ અને સંપર્ક વગેરે મનોસામાજિક પ્રેરણાઓ છે.

સત્તાની પ્રેરણાની સમજૂતી નીચે મુજબ છે :

સત્તાની પ્રેરણા : દરેક વ્યક્તિ પોતાના જૂથમાં તેનું સ્થાન બીજાઓ કરતાં ચડિયાતું થાય તેમ ઈચ્છે છે.

સામાજિક જીવનના દરેક તબક્કે સત્તા માટેનો સંઘર્ષ જોવા મળે છે. મોભો અને પ્રતિષ્ઠા સાથે સત્તા અને વર્ચસ્વ જોડાયેલાં છે. સામાન્ય રીતે જેનો ઊંચો મોભો હોય તેની પાસે સત્તા વધુ હોય છે. તી બીજાઓ પર વધુ અધિપત્ય અને વર્ચસ્વ જમાવી શકે છે.

સત્તાની પ્રેરણા પરિવાર, સમાજ, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે અગત્યની બને છે.

સત્તાની પ્રેરણા તાકાત, મોભો, પ્રતિષ્ઠા તથા અન્યને અસર કરવાની પ્રેરણામાંથી જન્મે છે.

મરેના મુજબ સત્તાની પ્રેરણામાં પોતાની આજુબાજુના સામાજિક વાતાવરણને કાબૂમાં રાખવાની ઈચ્છા રહેલી છે. બીજાઓના વર્તનને અસર પહોંચાડીને તેને અમુક દિશામાં વાળવું એ પણ તેનો એક હેતુ છે.

બીજા વર્ચસ્વ વિવિધ રીતે જમાવવામાં આવે છે. સૂચન, સમજાવટ, હુકમ અથવા બળ વાપરીને બીજાઓ પર પ્રભુત્વ સ્થાપવામાં આવે છે.

જેમનામાં સત્તાની પ્રેરણા ઊંચા પ્રમાણમાં હોય છે. તેઓ સંગઠનોમાં અને રાજકારણમાં ઊંચા સ્થાને પહોંચવાનો પ્રયત્ન કરે છે.

તેઓ હોદ્દાનો દુરપયોગ કરીને ખૂબ ધનસંપત્તિ એકઠી કરે છે. આમ, સત્તા વ્યક્તિને ભ્રષ્ટ બનાવે છે.

કુટુંબમાં પણ વય મુજબ વર્ચસ્વની પ્રથા હોય છે. પિતા સૌથી વધુ સત્તા ધરાવે છે.

વિવિધ જુથો પણ એકબીજા પર વર્ચસ્વ ધરાવવા પ્રયત્ન કરે છે. બીજા જૂથને નમાવીને, હરાવીને કે સ્પર્ધામાં આગળ વધીને આધિપત્ય સ્થાપવામાં આવે છે.

શાસકોમાં સત્તાની પ્રેરણા ખૂબ જ તીવ્ર હોય છે. સત્તાની પ્રેરણા તેની તીવ્ર કક્ષાએ સરમુખત્યારીને જન્મ આપે છે. તેમાં વ્યક્તિ અનિયંત્રિત રીતે વર્તન કરે છે અને અન્યના વર્તનને પોતાની મરજી મુજબ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. ઈદી, અમીન, હિટલર, મુસોલિની, સદ્દામ હુસેન વગેરે તેનાં ઉદાહરણો છે.

એક રાષ્ટ્ર કે પ્રજાએ બીજા રાષ્ટ્ર કે પ્રજા પર આધિપત્ય જમાવવા માટે યુદ્ધો લડ્યાં છે. ધર્મ અને સંપ્રદાયનાં જુથો વચ્ચે પ્રણ વર્ચસ્વ અને આધિપત્ય જમાવવાના હેતુથી ધર્મયુદ્ધો લડાયાં છે.

હંમેશા શારીરિક બળથી જ સત્તા સ્થપાય છે એવું નથી. જ્ઞાન, વિદ્ધત્તા, ધન, કુશળતા, બુદ્ધિ વગેરેનો ઉપયોગ કરીને પણ વર્ચસ્વ જમાવવામાં આવે છે.

વર્ચસ્વનો ઉપયોગહંમેશા ખંડનાત્મક પરિણામો સર્જે છે. એવું નથી. સમાજસુધારકો, વૈજ્ઞાનિકો, રાષ્ટ્રીય નેતાઓએ હિંસા કે આક્રમણકર્યા વગર સમજાવટ, ઉપદેશ, સૂચન, પ્રચાર વગેરે પદ્ધતિનો ઉપયોગ કરીને વ્યક્તિ કે સમાજનાં મૂલ્યો, રૂઢિઓ અને પરંપરાઓને બદલી છે તથા સમાજની પ્રગતિમાં અગત્યનો ફાળો આપ્યો છે.


Advertisement

‘પ્રેરણાચક્ર’ ક્યારે વિરામ પામે છે ?


Advertisement