ખોરાક જરૂરીયાત સંદર્ભે મનુષ્યની પ્રાચીન અને આધુનિક પ્રવૃત્તિઓની માહિતી આપો.
ખોરાક, વસવાટ અને વંશ ટકાવી રાખવો એ મનુષ્યની પાયાની ત્રણ જરૂરીયાતો છે, ખોરાક માટે તે પહેલેથી સક્રિય હોય છે. ખોરાક તરીકે પહેલેથી સક્રિય છે. શરૂઆતમાં મનુષ્યની પાયાની ત્રણ જરૂરીયાતો છે. ખોરાક માટે તે પહેલેથી સક્રિય છે. ખોરાક તરીકે પ્રાણીઓ અને વનસ્પતિઓનો ઉપયોગ માનવઉત્ક્રાંતી જેટલો પ્રાચીન છે. શરૂઆતમાં મનુષ્યની પ્રવૃત્તિઓ પ્રાણીઓના શિકાર અને વન્ય વનસ્પતિઓનાં ફળો એકઠાં કરવા પૂરતી મર્યાદિત હતી.
હજારો વર્ષો પૂર્વે કૃષીની શરૂઆત થઈ અને તે જ સમયે પશુપાલન પણ શરૂ થયું. તે ખોરાકના વધુ ઉત્પાદનમાં ઉપયોગી થયું,. આ પદ્ધતિમાં સમયે સમયે બદલાવ આવતો રહ્યો અને પ્રગતી થતી રહી છે.
હાલમાં પશુપાલનમાં ડેરીવ્યવસાય, મરઘાપાલન, મધમાખીઉછેર, મત્સ્યઉદ્યોગ દ્વારા તેમજ વનસ્પતિસંવર્ધનમાં સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ અને પેશીસંવર્ધનના અમલ દ્વારા વધતી માનવવસતિની જરૂરીયાતને પહોંચી વળાય તેટલો ખોરાક મેળવી શકાય છે. આધુનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી રોગમુક્ત વનસ્પતિઓ અને પ્રાણીઓ પેદા કરી ખોરાકની જરૂરીયાત સંતોષાય છે.