Chapter Chosen

અભ્યાસ પદ્વતિઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કુદરતી નિરીક્ષણ પદ્ધતિની સમજૂતી આપો. 

આંતરનિરિક્ષણ પદ્ધતિની સમજૂતી આપો. 

Advertisement
‘પરિવર્ત્ય’ એટલે શું ? તેના પ્રકારો ટુંકમાં સમજાવો. 

મનોવિજ્ઞાનની પરિભાષામાં પરિબળોને ‘પરિવર્ત્યો’ કહે છે. પ્રયોગ દરમિયાન પરિબળોમાં પરિવર્તન શક્ય હોવાથી તેને ‘પરિવર્ત્યો’ તરીકે ઓળખવામાં આવે છે. પરિવર્તનક્ષમ પરિબળ કે પરિસ્થિતીને ‘પરિવર્ત્ય’ કહેવમાં આવે છે.

પરિવર્ત્યનો અર્થ : ‘પરિવર્ત્ય’ એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના, જેમા ફેરફાર કે પરિવર્તન થઈ શકે છે. પરિવર્ત્યનું પ્રમાણાત્મક કે સંખ્યાત્મક સ્વરૂપમાં માપન થઈ શકે છે. પ્રયોગમાં ઓછામાં ઓછા બે કે તેથી વધુ પરિવર્ત્યો હોય છે.

પ્રયોગના આયોજન દરમિયાન ત્રણ પ્રકારના પરિવર્ત્યોને ધ્યાનમાં લેવામાં આવે છે:

1. સ્વતંત્ર પરિવર્ત્ય (Independent Variable) : પ્રયોગમાં પ્રયોગકર્તા જે પરિવર્ત્યની પસંદગી કરે છે અને જેમાં પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર કરે છે, તેને ‘સ્વતંત્ર પરિવર્ત્ય’ છે.

દા.ત. ‘માદક પદાર્થોને સ્મૃતિવિસ્તાર પર થતી અસર’ અંગેના પ્રયોગમાં પ્રયોગપાત્રને આપવામાં આવેલી માદક પદાર્થોની જુદી જુદી માત્રાઓ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે.

પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યને બે રીતે ચકાસી શકાય છે: 1. સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખીને અને 2. સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરીને.

ઉપર્યુક્ત ઉદાહરણમાં પ્રયોગકર્તા પ્રયોગપાત્રને માદક પદાર્થોની માત્રામાં ફેરફાર કરીને તેની સ્મૃતિવિસ્તાર ઉપર શી અસર થાય છે તેની ચકાસણી કરે છે.

આ ઉપરાંત પ્રયોગકર્તા સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખીને ચકાસણી કરી શકે છે. તેમાં પ્રયોગપાત્રને માદક પદાર્થો આપીને અને પછી સામાન્ય પરિસ્થિતિમાં પ્રયોગપાત્રના સ્મૃતિવિસ્તાર ઉપર શી અસર થાય છે તેની ચકાસણી કરવામાં આવે છે.

2. આધારિત પરિવર્ત્ય (Dependent Variable): પ્રયોગમાં સ્વતંત્ર પરિવર્ત્યના ફેરફારની પ્રયોગપાત્રનાં વર્તન કે પ્રતિક્રિયાઓ પર થતી અસરને ‘આધારિત પરિવર્ત્ય; કહેવામાં આવે છે.

પ્રયોગકર્તાએ પ્રયોગ દરમિયાન કરેલ ફેરફારને કારણે જે ઘટકને અસર થાય તેને ‘આધારિત પરિવર્ત્ય’ કહેવાય છે. આધારિત પરિવર્ત્ય એ પ્રયોગ દરમિયાન કરેલ ફેરફારને કારણે જે ઘટકને અસર થાય તેને ‘આધારિત પરિવર્ત્ય’ કહેવામાં આવે છે. આધારિત પરિવર્ત્ય એ પ્રયોગપાત્રના વર્તન કે પ્રતિક્રિયાઓના નિરીક્ષણ અને માપનને આધારે પ્રપ્ત થતો અહેવાલ છે.

માદક પદાર્થોની સ્મૃતિવિસ્તાર પર થતી અસર અંગેના પ્રયોગમાં પ્રયોગપાત્રની સ્મૃતિના માપનનો અહેવાલ એ ‘આધરિત પરિવર્ત્ય’ છે. સ્વતંત્ર પરિવર્ત્યમાં કરવામાં આવતા ફેરફાર ઉપર આ ઘટક આધાઅરિત હોવાથી તે ‘આધારિત પરિવર્ત્ય’ છે.

પ્રયોગકર્તા સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર કરે તો એની જુદી જુદી અસર આધારિત પરિવર્ત્ય પર પડે છે કે કેમ તેની ચકાસણી કરી શકાય છે.

3. નિયંત્રિત પરિવર્ત્ય (Controlled Variable) : પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયનાં જે પરિવર્ત્યો સીધી અથવા આડકતરી રીતે આધારિત પરિવર્ત્ય ઉપર પોતાની અસર ઉપજાવી શકે, તેવાં પરિવર્ત્યોનું પ્રયોગકર્તા પ્રયોગ દરમિયાન નિયંત્રણ કરે છે. આવાં પરિવર્ત્યોને ‘નિયંત્રિત પરિવર્ત્ય’ કહે છે. દા.ત. માદક પદાર્થોનું સ્વરૂપ, પદ્ધતિ, વાતાવરણ વગેરે. આવા નિયંત્રણનું પ્રમાણ જેટલું વધુ હોય તેટલી પ્રયોગની યથાર્થતા અને વિશ્વાસનીયતા વધુ હોય છે.


Advertisement

મનોવિજ્ઞાનના અભ્યાસ માટે ઉપ્યોગમાં લેવાતી મુખ્ય છ અભ્યાસ પદ્ધતિઓ કઈ છે ?


ટુંકનોંધ લખો. 
નિરીક્ષણ પદ્ધતિના ફાયદાઓ અને મર્યાદાઓ જણાવો. 

Advertisement