CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘નિરિક્ષણ પદ્ધતિ’ એ પ્રત્યેક વિજ્ઞાનની મૂળભૂત પદ્ધતિ છે. મનોવિજ્ઞાન પણ માનવી અને પ્રાણીના વર્તનના અભ્યાસ માટે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે.
ફાયદાઓ : માનવવર્તનના વિવિધ પાસાઓના અભ્યાસ માટે ‘નિરિક્ષણ પદ્ધતિ’ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
બાળકોની રમતોમાં જોવા મળતી ભૂમિકા, વર્તનનો અભ્યાસ, સામાજિક આંતરક્રિયા, નેતાની પસંદગી, ચૂંટણીપ્રચારની પદ્ધતિઓ, બાળકોની લાક્ષણિકતાઓનો અભ્યાસ, લોકમત ઘડનારાં પરિબળો, જાહેરાતની અસર વગેરેના અભ્યાસ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
નિરીક્ષણ પદ્ધતિથી વ્યક્તિના સંપૂર્ણ સ્વાભાવિક વર્તનનો અભ્યાસ કરી શકાય છે.
નિરીક્ષણ પદ્ધતિથી વિશાળ ક્ષેત્ર ધરાવે છે. આથી ગમે ત્યારે ગમે તે વ્યક્તિનું નિરીક્ષણ થઈ શકે છે.
જ્યાં પ્રયોગ પદ્ધતિ શક્ય નથી ત્યાં નિરીક્ષણ પદ્ધતિ ઉપયોગી નિવડે છે.
નિરીક્ષણ પદ્ધતિ સરળ અને સગવડતાભરી છે.
મર્યાદાઓ : જો પ્રયોગપાત્રને ધ્યાન પર આવે કે તેના વર્તનનો અભ્યાસ થઈ રહ્યો છે, તે તેનું વર્તન સ્વાભાવિક રહેવાને બદલે કૃત્રિમ થઈ જાય છે.
નિરીક્ષણ તાલીમબદ્ધ અને અનુભવ ધરાવતો ન હોય, તો નિરિક્ષણ દરમિયાન અવલોકન વ્યક્તિલક્ષી બની જાય છે. કેટલીક વાર નિરીક્ષણ ભૂલભરેલું બનવાની પણ સંભાવના રહે છે.
કોઈ ચોક્કસ બાબત, ઘટના કે પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો હોય, તો તે ચોક્કસ અને મર્યાદિત સમયગાળામાં જ કરી શકાતો હોવાથી નિરીક્ષણ પદ્ધતિમાં ઉતાવળ કરવી પડે છે.
મનોવિજ્ઞાનના અભ્યાસ માટે ઉપ્યોગમાં લેવાતી મુખ્ય છ અભ્યાસ પદ્ધતિઓ કઈ છે ?