Chapter Chosen

અભ્યાસ પદ્વતિઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ટુંકનોંધ લખો. 
પ્રયોગના અર્થ સમજાવી, પ્રયોગનું ઉદાહરણ આપો.  

મનોવિજ્ઞાનમાં વર્તનનાં અભ્યાસ માટે નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તેની કેટલીક મર્યાદાઓ હોવાથી ‘પ્રયોગ પદ્ધતિ’નો વિકાસ થયો છે.

પ્રત્યેક વિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. મનોવિજ્ઞાન અન્ય વિજ્ઞાનોની જેમ વર્તનની સમજૂતી મેળવવા માટે અને વર્તન અંગેના નિયમો સ્થાપિત કરવા માટે પ્રયોગ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરે છે.

આધુનિક યુગમાં મનોવિજ્ઞાનની મોટા ભાગની શાખાઓમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

મનોવિજ્ઞાનની સૌપ્રથમ સ્વતંત્ર પ્રયોગશાળામાં ઈ.સ. 1879માં જર્મનીની લીપ્ઝિંગ યુનિવર્સિટીમાં વિલ્હેમ વુન્ટે સ્થાપી હતી. આ પછી મનોવિજ્ઞાનમાં પ્રયોગપદ્ધતિનો યુગ શરૂ થયો.

પ્રયોગ(Experiment)નો અર્થ : ‘પ્રયોગ’ એટેલે નિયંત્રિત પરિસ્થિતિમા કરવામાં આવેલું નિરીક્ષન. પ્રયોગ એ મૂળભૂત રીતે નિરીક્ષણ પદ્ધતિ છે. આમાં કૃત્રિમ રીતે પરિસ્થિતિ ઉપજાવવામાં આવે છે અને આ પરિસ્થિતી પર નિયંત્રણ મૂકીને નિરીક્ષણ કરવામાં આવે છે. પ્રયોગ પદ્ધતિની પ્રક્રિયા સમજવાથી પ્રયોગ પદ્ધતિનો ખ્યાલ આવશે.

પ્રક્રિયા : સૌપ્રથમ પ્રયોગના હેતુને ધ્યાનમાં રાખીને પ્રયોગની યોજના તૈયાર કરવામાં આવે છે.

બીજા તબક્કામાં કૃત્રિમ રીતે પ્રાયોગિક પરિસ્થિતિ ઉપજાવવામાં આવે છે.

આ કૃત્રિમ પરિસ્થિતિમાં નિયંત્રણ મૂકીને જે પરિબળનો અભ્યાસ કરવાનો હોય તે પરિબળોમાં ફેરફાર કરવામાં આવે છે.

આ ફેરફારને પરિણામે વર્તન પર પડતી અસરનું વસ્તુલક્ષી અવલોકન અને માપન કરવામાં આવે છે.

પ્રયોગનું ઉદાહરણ : બીજાઓની હાજરી વ્યક્તિના કાર્ય પર કેવી અસર કરે છે તે જાણવાના એક પ્રયોગમાં 10 વિદ્યાર્થીઓનાં એક સમૂહને પહેલાં એકાંતમાં અને પછી સમૂહમાં 30 મિનિટ સુધી અંગ્રેજી વર્તમાનપત્રમાંથી સ્વરો ચેકવાનું કામ અલગ અલગ રીતે સોંપવામાં આવ્યું. પ્રયોગના અંતે જાણવા મળ્યું કે વિદ્યાર્થિઓના એકાંત કરતાં સમૂહમાં વધુ પ્રમાણમાં સ્વરો ચેકી શક્યા. આ પ્રયોગમાં બેઠક વ્યવસ્થામાં કરાયેલા ફેરફાર વિદ્યાર્થીઓના સ્વરો ચેકવાના કાર્ય પર અસર કરે છે. કાર્યનું સ્વરૂપ, વિદ્યાર્થીઓની સંખ્યા, કાર્યપદ્ધતિ વગેરે પરિવર્ત્યોને નિયંત્રણમાં રાખ્યા. આ નિયંત્રિત પરિવર્ત્યો છે.


Advertisement
ટુંકનોંધ લખો. 
નિરીક્ષણ પદ્ધતિના ફાયદાઓ અને મર્યાદાઓ જણાવો. 

કુદરતી નિરીક્ષણ પદ્ધતિની સમજૂતી આપો. 

મનોવિજ્ઞાનના અભ્યાસ માટે ઉપ્યોગમાં લેવાતી મુખ્ય છ અભ્યાસ પદ્ધતિઓ કઈ છે ?


આંતરનિરિક્ષણ પદ્ધતિની સમજૂતી આપો. 

‘પરિવર્ત્ય’ એટલે શું ? તેના પ્રકારો ટુંકમાં સમજાવો. 

Advertisement