CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘નિંદ્રા’ અને ‘સ્વપ્ન’ એ ચેતનાની સાહજિક રીતે બદલાતી અવસ્થા છે, જ્યારે ‘ધ્યાન’ એ ચતનાની સ્વૈચ્છિક રીતે બદલાયેલી અવસ્થા છે.
નિંદ્રા અને સ્વપ્ન માટે વ્યક્તિએ કોઈ પ્રકારનો સભાન પ્રયત્ન કરવો પડતો નથી, જ્યારે ‘ધ્યાન’ માટે વ્યક્તિએ સભાન પ્રયત્ન કરવો પડે છે.
‘ધ્યાન’ એ આરામની અને રાહતની અવસ્થા છે, પરંતુ પ્રત્યક્ષીકરણની પૂર્વશરત ‘ધ્યાન’ કરતાં અલગ છે.
પ્રત્યક્ષીકરણની પૂર્વશરત ‘ધ્યાન’માં ચેતના વાતાવરણનાં અનેક ઉદ્દેપકોમાંથી અમુક ઉદ્દીપકને પસંદ કરે છે અને બાકીનાં ઊદ્દીપકોનો અસ્વીકાર કરે છે. જ્યારે ચેતનાની બદલાયેલી અવસ્થારૂપ ‘ધ્યાન’માં વ્યક્તિ રાહતની સ્થિતિમાં પ્રવેશી ચેતનાની તમામ સક્રિયતાઓને શાંત કરવાનો સભાન પ્રયત્ન કરે છે.
આ સભાન નિષ્ક્રિયતાની અવસ્થામાં ચેતના તેના મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે અને વ્યક્તિને પરમ શાંતિનો અનુભવ થાય છે.
પૂર્વના દેશોમાં હિન્દું, બૌદ્ધ, અને જૈન ધર્મની પરંપરામાં ‘ધ્યાન’ દ્વારા ચિત્તની શાંતિ મેળવવાના અનેક માર્ગો અને પદ્ધતિઓ દર્શાવેલ છે.
હિન્દુ ધર્મમાં મુનિ પતંજલિએ દર્શાવેલ ‘યોગદર્શન’ અને બૌદ્ધ ધર્મની ‘ઝેન’ પરંપરામાં ધ્યાનની પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે. આ પદ્ધતિઓનો પશ્ચિમના દેશોમાં વિશેષ પ્રચાર થયો છે.