Chapter Chosen

ચેતનાની બદલાયેલી અવસ્થાઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ટુંકનોંધ લખો. 
મનોઔષધો     

નિંદ્રા અને સ્વપ્ન એ ચેતનાની સહજ રીતે બદલાયેલી અવસ્થા છે. ધ્યાન એ ‘સ્વ’ પ્રયત્ન દ્વારા બદલાતી ચેતનાની અવસ્થા છે.

કેટલાંક દ્રવ્યો કે ઔષધો દ્વરા પણ ચેતનાની બદલાયેલી અવસ્થાઓ અસ્તિત્વમાં આવે છે. આ દ્રવ્યો કે ઔષધો માનસિક અસરો ઉત્પન્ન કરતાં હોવાથી તેમને ‘મનોઔષધો’ કહેવાય છે.

પ્રાચીન સમયથી જ માનવી દારૂ, અફીણ, ભાંગ, ચરસ, તમાકુ, કોકેઈન વગેરે જેવા દ્રવ્યોનો ઉપયોગ કરી ચેતનાની રૂપાંતરિત અવસ્થામાં પ્રવેશવા માટે પ્રયત્ન કરતો આવ્યો છે.

માનવી ઉત્સહ, ઉત્તેજના, પીડામાંથી રાહત, નશો, વિભ્રમો કે ચિત્તભ્રમોનો અનુભવ મેળવવા માટે ‘મનોઔષધો’નો ઉપયોગ કરેલ છે.

મનવીમાં ચિંતા, મનોભાર, હતાશા, દબાણ, અર્થશૂન્યતા, તનાવ વગેરે જેવી સ્થિતિમાંથી મુક્ત થવા માટે આપ્રકારના દ્રવ્યોનું સેવન તથા તેનું વ્યસન દિનપ્રતિદિન વધતું જતું જોવા મળે છે.

ચેતનાની બદલાયેલી અવસ્થાના સંદર્ભમાં મનોઔષધોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. 1. ખિન્નતાપ્રેરક ઔષધો. 2. ઉત્તેજક ઔષધો. 3. ચિત્તભ્રામક ઔષધો.


Advertisement
ટુંકનોંધ લખો. 
ચેતનાની બદલાયેલી અવસ્થાઓ 

ટુંકનોંધ લખો. 
ભાવાતીત ધ્યાન અંગેના વૈજ્ઞાનિક અભ્યાસો    

ટુંકનોંધ લખો. 
ધ્યાન : ચેતનાની બદલાયેલી અવસ્થા તરીકે  

ટુંકનોંધ લખો. 
અષ્ટાંગ યોગ   

Advertisement