CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનોવિજ્ઞાનિકોએ પ્રેરણાના મુખ્ય બે પ્રકાર આ મુજબ આપ્યા છે : 1. શારીરિક અને 2. મનોસામાજિકપ્રેરણા.
વ્યક્તિ કે પ્રાણીના જીવનમાં શારીરિક પ્રેરણાનો સંતોષ તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. ભૂખ, તરસ, ઊંઘ, જાતીય વૃત્તિ વગેરે શારીરિક પ્રેરણાઓ છે.
ઊંઘની પ્રેરણાની સમજૂતી નીચે મુજબ છે.
ઊંઘ : ઊંઘ એક નિંદ્રાનો વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે ખૂબ જ અગત્યનો સબંધ રહેલો છે.
ભૂખ અને તરસની શારીરિક પ્રેરણાઓ કરતાં પણ ઊંઘની શારીરિક પ્રેરણા અતિશય તીવ્ર હોય છે. જો વ્યક્તિને ઊંઘ આવતી હોય અને તે સમયે ભૂખ પણ લાગી હોય, તો વ્યક્તિ ભોજન લીધા સિવાય પણ ઊંઘી જતો હોય છે.
ઊંઘનો નિયત સમય થાય ત્યારે વ્યક્તિ ઊંઘનો અનુભવ કરતો હોય છે.
મનોવિજ્ઞાનિકોને પ્રાયોગિક અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી એટલે કે આઠથી દસ દિવસ સતત કોઈ વ્યક્તિ જાગતી રહે તો તે ભ્રમ અને સંદેહ અને વિભ્રમનો ભોગ બની શકે છે.
ઈ.સ. 1964માં 70 વર્ષની ઉંમરની રેન્ડી ગાર્ડનર નામની વ્યક્તિ, પોતાનું સ્થાન ‘ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડસ’માં નોંધાવવા, સતત 264 કલાક જાગતો રહ્યો હતો, પરંતુ દિવસો પસર થતાં તેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કથળવા લાગ્યું હતું.
અકસ્માતો અંગે અમેરિકામાં કરવામાં આવેલા એક રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે હાઈવે પર થતા મોટા ભાગના અકસ્માતો ડ્રાઈવરની ઓછી ઊંઘના કારણે થતા હોય છે. દિવસે થતા અકસ્માતોની સરખામણીમાં રાત્રીમાં થતા અકસ્માતોનું પ્રમાણ દસ ગણુ વધારે હોય છે.
આમ, માનવી તથા પ્રાણી માટે યોગ્ય ખોરાકની માફક સારી અને જરૂરી માત્રામાં ઊંઘ અનિવાર્ય છે.
‘પ્રેરણાચક્ર’ ક્યારે વિરામ પામે છે ?