CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનોવૈજ્ઞાનિકોએ પ્રેરણાના મુખ્ય બે પ્રકાર આ મુજબ છે : 1. શારીરિક પ્રેરણા અને 2. મનોસામાજિક પ્રેરણા.
માનવીના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રેરણાની જેમ મનોસામાજિક પ્રેરણાઓનો અસંતોષ વ્યક્તિમાં નિષેધક માનસિક અસરો જન્માવે છે. સિદ્ધિ, સંલગ્નતા, સત્તા તથા સ્નેહ અને સંપર્કની પ્રેરણા વગેરે મનોસામાજિક પ્રેરણાઓ કહેવાય છે.
સ્નેહ અને સંપર્કની પ્રેરણાની સમજૂતી નીચે મુજબ છે.
સ્નેહ અને સંપર્ક : દરેક માનવી માટે સ્નેહ અને સંપર્કની જરૂરિયાતનું ખૂબ જ મહત્વ છે .
અન્ય વ્યક્તિને સ્નેહ કરવો અને અન્યના સ્નેહને લાયક બનવુંં એ માનવી માત્રની જરૂરિયાત ધરાવતો હોય છે.
અન્ય વ્યક્તિઓ સથે હૂંફાળા અને ગાઢ સબંધો બાંધવાની માનવીની સાહજિક પ્રવૃત્તિને ‘સંપર્ક’ કે ‘સહચાર’ની પ્રેરણા કહેવાય છે. આ પ્રકારના સંપર્કો દ્વારા અનેક પ્રકારના સબંધો સાકાર થાય છે. જેમ કે માતા અને બાળકનો સબંધ, પતિ અને પત્નીનો સબંધ, ભાઈ અને બહેનનો સબંધ, ગુરુ અને શિષ્યનો સબંધ વગેરે. કૃષ્ણ અને સુદામાના મૈત્રી સબંધો સંપર્કની પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે.
સ્નેહ એ એકબીજા પ્રત્યે કરેલું સ્વૈચ્છિક સમર્પણ છે. સ્નેહ હોય એટલે એકબેજાની ‘કાળજી’ હોય, એકબીજા પ્રત્યે ‘જવાબદારીભર્યું વર્તન’ હોય, એકબીજા પ્રત્યે ‘આદર’ હોય. એકબીજાને ‘સમજવાની’ પૂરેપૂરી તૈયારી હોય, એકબીજાનો ‘સ્વીકાર’ હોય અને એકબીજા પ્રત્યે હદયની ‘નિષ્ઠા’ હોય.
બાલ્યા વસ્થામાં ઘર અને પરિવારનું વાતાવરણ અને બાળકની અન્ય વ્યક્તિઓ સાથેના સબંધોની ગુણવત્તાના આધારે વ્યક્તિમાં સંપર્કની ભાવના વિકાસ પામે છે.
જે વ્યક્તિ પોતાની બાલ્યાવસ્થામાં સામાજિક સબંધોમાં અથવા માતા-પિતા તરફથી અને કુટુંબના અન્ય સભ્યો પાસેથી સ્નેહ મેળવી શકે ન હોય તે વ્યક્તિ મોટી ઉંમરમાં લાગણીવિહીન, અસ્વીકારની ભાવનાવાળી અને આક્રમક સ્વભાવવાળી બનવાની સંભાવના રહેલી છે. આવી વ્યક્તિઓ અન્ય વ્યક્તિઓ સાથેનો સંપર્ક કેળવવામાં ખુબ મુશ્કેલીઓ અનુભવે છે.
વિશ્વના તમામ ધર્મો ‘ભાઈચારો’ કેળવવાનો ઉપદેશ આપે છે. ભારતીય સંસ્કૃતિ અને આદર્શો મુજબ જીવનમાં કુટુંબ પ્રત્યેના પ્રેમથી આગળ વધીને ‘वसुधैव कुटुम्बकम्’ ની ભાવનાવાળી વ્યક્તિ સમગ્ર વિશ્વમાં બધી જગ્યાએ પ્રેમ અને આદર સત્કાર પ્રાપ્ત કરે છે.
‘પ્રેરણાચક્ર’ ક્યારે વિરામ પામે છે ?