‘પ્રેરણાચક્ર’ ક્યારે વિરામ પામે છે ?
જરૂરિયાતોના ઉદાભવ સાથે પ્રેરણાચક્ર શરૂ થાય છે. જેના લીધે વ્યક્તિમાં આંતરિક ઉત્તેજિત બળ અથવા દબાણની શરૂઆત થાય છે. ઉત્તેજનાની શરૂઆત થતા વ્યક્તિ લક્ષ્યપ્રાપ્તિ માટે જરૂરી વર્તન કરે છે. વર્તનના પરિણામે લક્ષ્ય પ્રાપ્ત થતાં વ્યક્તિ રાહત અને સંતોષ અનુભવે છે. આથી ઉત્તેજનમાં ઘટાડો થાય છે અને પ્રેરણાચક્ર વિરામ પામે છે.