CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નિર્જીવ કમ્પ્યુટર અને માનવમગજનાં કાર્યો અનેક બાબતમાં એકબીજાથી તદ્દન જુદાં પડે છે, જેમ કે
કમ્પ્યુટર જે માહિતી મેળવે છે તે મોટે ભાગે માનવી દ્વારા એન્ટર કરવામાં આવે છે. આથી તે માહિતી સ્પષ્ટ અને સંકેત પદ્ધતિ અનુસારની હોય છે. જ્યારે મગજના દરેક ચેતાકોષોને જે માહિતી મળે છે, તે કોઈક વાર અસ્પષ્ટ હોય છે તથા આંખ અને કાન જેવી જ્ઞાનેન્દ્રીયોમાંથી પસાર થઈને આવતી હોવાથી વ્યક્તિ લક્ષી બની જાય છે.
માનવમગજ નવા નિયમો, સંબંધો, સંકલ્પનાઓ, ભાતો વગેરે શીખવાની અતુલ્ય ક્ષમતા ધરાવતું હોવાથી તે આ બાબતોનો નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કે સામાન્યયીકરણ કરી શકે છે. જ્યારે માનવમગજની તુલનામાં કમ્પ્યુટર નવું શીખવાની અને તેના ઉપયોગ કરવાની બાબતમાં મર્યાદા ધરાવે છે.
માનસિક કે બોધાત્મક પ્રર્કિયાઓમાં શેનો સમાવેશ થાય છે ?
કયા અભિગમને ‘કમ્પ્યુટર રૂપક’ કહે છે ?
પ્રથમ આધુનિક કમ્પ્યુટરની રચના કોણે અને ક્યારે કરી હતી ?
વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયાના કયા બે પ્રકાર જોવા મળે છે ?
શારીરિક કે પ્રગટ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કોને કહેવાય ?