CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ જીવનનાં દરેક ક્ષેત્રોમાં વ્યાપક પણે થાય છે. મનોવિજ્ઞાનના આ વિશિષ્ટ ઉપયોગના કારણે તેનાં અનેક પેટાક્ષેત્રો અસ્તિત્વમાં આવ્યાં છે. મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્ર તરીકે ‘સંગઠનલક્ષી મનોવિજ્ઞાન’ની સમજૂતી નીચે મુજબ છે.
સંગઠનલક્ષી મનોવિજ્ઞાન : સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં કર્મચારિઓની ભરતી કરવા, કાર્યક્ષમતામાં વધારો કરવા, માનસિક સંતોષ, થાક અને અકસ્માત નિવારણ, કર્મચારીઓ અને વ્યવસ્થાપકો વચ્ચે માનવીય સંબંધો વિકસાવવાં વગેરે માટે કાર્ય કરે છે.
સંગઠનલક્ષી મનોવિજ્ઞાનમાં કાર્યસ્થળની ભૌતિક પરિસ્થિતિની અસરો, કાર્યવિશ્ર્લેષણ, થાક, કંટાળો, તનાવ, કૌશલ્ય, ઉત્પાદકતા વગેરે અંગે સંશોધનો થાય છે.
આધુનિક યુગમાં ઉદ્યોગ, વ્યાપાર અને સરકારી તંત્રમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. કર્મચારીઓની પસંદગી અને નિમણૂક માટે બુદ્ધિકસોટીઓ અને અભિયોગ્યતા કસોટીઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે.
સંગઠન લક્ષી મનોવિજ્ઞાન શાખાના નિષ્ણાતો કર્મચારીઓને તાલીમ આપી તેમનામાં પ્રેરણા, જુસ્સો, નૈતિકતા, નિર્ણયશક્તિ વગેરે જેવા ગુણો વિકસાવવામાં મદદ કરે છે.
સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કર્મચારીઓના કલ્યાણ માટે યોજનાઓ તથા સામાજિક, સાંસ્કૃતિક, રમત-ગમતની પ્રવૃત્તિઓ વગેરેના આયોજન દ્વારા કાર્ય, કાર્યક્ષમતા અને કતૃત્વ વધારવા પ્રયત્ન કરવામાં આવે છે.
માનવસંસાધન વિકાસના ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાતો ભરતી, તાલીમ જેવાં કાર્ય કરે છે. મોટા ભાગનાં ઉદ્યોગગૃહોમાં ‘હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ’ વિભાગ અગત્યની અને ઉપયોગી કામગીરી કરે છે.