Chapter Chosen

મનોવિજ્ઞાન : એક વિજ્ઞાન

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્ર ‘પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન’ની સમજૂતી આપો.

સંગઠનલક્ષી મનોવિજ્ઞાન : માનવસંસાધન વિકાસ અને વ્યવસ્થાપનની સમજૂતી આપો.

Advertisement
ટુંકનોંધ લખો. 
માનવવાદી અભિગમ (Humanistic Approach) : 

માનવીની ઉત્પત્તી થઈ ત્યારથી અનેક વિદ્ધાનોએ માનવવર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્નમાંથી મનોવિજ્ઞાનને જુદા જુદા દ્દષ્ટિકોણથી જોતાં અનેક અભિગમો પ્રાપ્ત થયા. આ અભિગમોનું સંકલન કરીને મનોવિજ્ઞાનની સાચી સમજ મેળવી શકાય છે.

મનોવિજ્ઞાનમાં માનવવર્તનને સમજાવતા ‘માનવતાવદી અભિગમ’ની સમજૂતી નીચે મુજબ છે.

આ અભિગમ મનોગત્યાત્મક અભિગમ કરતાં વિરોધી બાબત પર ભાર મૂકે છે. મનોગત્યાત્મક અભિગમ અનુસાર માનવી અનિચ્છનીય અને સમાજવિરોધી પ્રેરણાથી વર્તે છે. તેને પોતાની મૂળભૂત ઈચ્છાઓ પૂરી કરવામાં જ રસ હોય છે. જ્યારે માનવાદી અભિગમ અનુસાર માનવી શક્તિશાળી અને સમાજને અનુકૂળ રીતે વર્તનાર ક્રિયાશીલ વ્યક્તિ છે. આ અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહમ મેસ્લો, કાલ રોઝર્સ, એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ થાય છે. તેનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે. આ અભિગમ અનુસાર માનવી સ્વતંત્ર, ઈચ્છાશક્તિવાળો, સ્વવિકાસની ઈચ્છાવાળો અને દ્રષ્ટિબિંદુવાળો છે અને પોતાના વર્તનને નક્કી કરવા માટે તે સંપૂર્ણ સ્વતંત્ર છે. આથી જ આ અભિગમને ‘માનવીય અભિગમ’ પણ કહેવામાં આવે છે.


Advertisement
ટુંકનોંધ લખો. 
જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન (Lifespan and Developmental Psychology)  

ટુંકનોંધ લખો. 
બોધાત્મક મનોવિજ્ઞાન (Cognitive Psychology)  

Advertisement