CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વ્યક્તિએ સામાજિક પ્રાણી હોવાથી તેનું વ્યક્તિત્વ સામાજિક અસરોને પરિણામે ઘડાય છે. સમાજલક્ષી મનોવૈજ્ઞાનિકો વ્યક્તિના સંદર્ભમાં સામાજિક અસરો કેવી રીતે કાર્ય કરે છે તેનો અભ્યાસ કરે છે.
વ્યક્તિ સમાજનાં વિવિધ જૂથો સાથે સંપર્કમાં આવે છે અને તે જૂથો આંતરક્રિયા કરે છે.
આ શાખા સામાજિક આંતરક્રિયાઓના અભ્યાસ પર ભાર મૂકે છે. આ ઉપરાંત તે વ્યક્તિના વર્તન પર જૂથના સભ્યપદની થતી અસરો અંગે પણ અભ્યાસ કરે છે.
નેતૃત્વ, જૂથ, મનોવલણ, ટોળું, લોકમત, પ્રચાર, યુદ્ધ, ફૅશન, અફવા, ક્રાંતિ વગેરે વિષયોના સંદર્ભમાં માનવવર્તનનો અભ્યાસ કરે છે.
આ ક્ષેત્રના નિષ્ણાતો વ્યક્તિના વ્યક્તિત્વ પર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ વગેરે ઘટકોની અસરો તપાસવાનું કાર્ય કરે છે.
આધુનિક સમયમાં આ ક્ષેત્રોના નિષ્ણાંતોની સેવાઓ પૂર્વગ્રાહ ઘટાડવા, લોકમતનું સર્જન કરવા કે લોકમત બદલવા, પ્રચાર-પ્રસારની રીતે નક્કી કરવા, ફૅશન, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં લેવામાં આવે છે.
રાજકીય પક્ષો, ઉદ્યોગગૃહો, સરકારો વગી દ્વારા યુદ્ધ, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ દરમિયાન આ ક્ષેત્રના નિષ્ણાંંતોની સેવાઓ લેવામાં આવે છે.
અભિનેતાઓ, અભિનેત્રીઓ, ખેલાડીઓ, રાજનેતાઓ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ વગેરે દ્વારા પોતાની પ્રતિભાઓ ઊભી કરવા કે બદલવા આ ક્ષેત્રના નિષ્ણાતોના સિદ્ધાંતો ઉપયોગ લેવામાં આવે છે.