CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તન અને વ્યક્તિત્વના કક્ષણોની સમજૂતી આપે છે. તે વ્યક્તિત્વના ઘડતર અને પરિવર્તનનાં નિર્ણાયક પરિબળોની ઉપયોગી માહિતી આપે છે.
વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન વ્યક્તિત્વ વિકાસનાં જુદા જુદા પાસાઓને સમજવાનો પ્રયત્ન કરે છે.
એકસમાન વારસો અને વાતાવરણમાં ઉછરેલાં લોકોનાં વ્યક્તિત્વમાં બહુ મોટો તફાવત જોવા મળે છે. આ તફાવત પાછળના કારણો તપાસવા, યોગ્ય વ્યક્તિત્વ વિકાસ કઈ રીતે થઈ શકે તેનો અભ્યાસ કરવો, વ્યક્તિત્વ વિકાસને અસર કરનારાંં પરિબળોને જાણવાં વગેરેનો અભ્યાસ આ ક્ષેત્રમાં કરવામાં આવે છે.
વ્યક્તિત્વ વિકાસ અંગે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલા સિદ્ધાંતોનો અભ્યાસ આ શાખામાં કરવામાં આવે છે. દરેક મનોવૈજ્ઞાનિકોએ પોતાની વિચારધારા અનુસાર વ્યક્તિત્વ વિકાસ માટેના સિદ્ધાંતો આપ્યાં છે.
આ ક્ષેત્રોમાં કાર્ય કરતા નિષ્ણાંતો વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટેની તાલીમ આપે છે. વ્યક્તિત્વ વિકાસ અને પરિવર્તન માટે તાલીમ પણ આપે છે. વ્યક્તિત્વમાં રહેલી નબળાઈઓ દૂર કરી વ્યક્તિત્વનાં પાસાઓને અસરકારક બનાવવાનું કાર્ય કરે છે.