CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શિશ્નકેન્દ્રી અવસ્થા કોને કહેવાય ?
જીન પિયોજેના અમૂર્ત ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપો.
જન્મથી બે વર્ષ સુધીના તબક્કાને સાંવેદનિક કારક તબક્કો કહેવાય છે, કારણ કે અ તબક્કા દરમિયાન બાળક વિવિધ ચેષ્ટાત્મક વર્તન અને સંવેદનો વચ્ચોનો સબંધ શોધે છે.
આ સમયગાળામાં બાળક પોતાનું શરીર તેના આસપાસના વાતાવરણથી ભિન્ન છે તેવું શીખે છે. તે પોતાના શરીર પર થતાં વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેનો સંબંધ બાંધે છે. બાળક દ્રશ્ય, શ્રાવ્ય, સ્વાદ, સ્પર્શ અને સૂંધવાનાં સ્થાપિત થતાં તે કઈ ક્રિયા ક્યારે કરવી અને ક્યારે ન કરવી તે શીખે છે.
છ માસનું બાળક રમકડું પકડવાનો પ્રયત્ન કરે છે. જો આ સમયે રમકડાને ઢાંકીને દેવામાં આવે, તો બાળક તેમાંથી રસ ગુમાવી દે છે. આ ક્રિયામાં બાળક કોઈ આશ્ચર્ય કે બેચેનીનો ભાવ દર્શાવતુંં નથી. પરંતુ આઠ માસનું બાળક જો રમકડાથી રમતું હોય અને રમકડાને ઢાંકી દેવામાં આવે તો તે કપડાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, જે દર્શાવે છે કે બાળકમાં ‘સ્થાયિતત્વનો ખ્યાલ’ વિકસ થયો છે. જ્યાં સુધી બાળકમાં આ ખ્યાલનો વિકાસ થયો ન હોય ત્યાં સુધી બાળક એમ માને છે કે જે વસ્તુ દેખાતી નથી તે વસ્તુનું અસ્તિત્વ જ નથી.
બે વર્ષનું બાળક અનુકરણ કરીને ઘણી ક્રિયાઓ શીખી જાય છે તે ક્રિયાને ઊલટ-સૂલટ કરી શકે છે. દા.ત. તોડવું અને જોડવું. ઊંચે લઈ જવું અને નીચે લઈ જવું વગેરે. આ ક્રિયાઓ બાળકનો જ્ઞાનાત્મક વિકાસ દર્શાવે છે.