CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સ્મરણ-પ્રક્રિયા એ અગાઉ શીખેલી સામગ્રીને અમુક સમય બાદ અર્થયુક્ત રીતે પુનઃપ્રાપ્ત કરવાની એક સળંગ માનસિક પ્રક્રિયા પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અમુક રીતે જ કાર્ય કરે છે. આ પ્રક્રિયાનું નિયમન કરનાર એક વ્યવસ્થાતંત્ર છે. જેના દ્વારા સ્મરણની પ્રક્રિયાનું સંચાલન અને નિયમન થતું રહે છે. આ વ્યવસ્થાતંત્રને ‘સ્મૃતિનું ત્રિતંત્રી પ્રતિમાન’ કહેવાય છે.
સ્મૃતિના ત્રિતંત્રી પ્રતિમાનને રજુઆત રિચાર્ડ શિફ્રિન નામના મનોવૈજ્ઞાનિકે આ રીતે કરી છે. : 1. સાંવેદનિક સ્મૃતિ. 2. ટુંકા ગાળાની સ્મૃતિ. 3. લાંબા ગાળાની સ્મૃતિ. લાંબા ગાળાની સ્મૃતિની સમજૂતી નીચે મુજબ છે.
લાંબા ગાળાની સ્મૃતિ : જે સ્મૃતિતંત્રમાં માહિતીનો સંગ્રહ કરવાની ક્ષમતા 20થી 30 સેકન્ડ વધુ હોય તેને ‘લાંબા ગાળાની સ્મૃતિ’ કહેવામાં આવે છે.
જીવનમાં બનેલી ઘણી ઘટનાઓ, અનુભવો, માહિતી, હકીકતો, કડવાં-મીઠાંં સંસ્મરણો વગેરેનો સંગ્રહ લાંબા ગાળાની સ્મૃતિમાં થાય છે.
આ માહિતીને સંગ્રહ કરવાની શક્તિ મસ્તિષ્ક ચાલમાં રહેલા સ્મૃતિવિસ્તારમાં રહેલાં મજ્જાકોષોમાં હોય છે.
ટૂંકા ગાળાની સ્મૃતિમાં આવેલી માહિતીનું પુનરાવર્તન કરવામાં આવે અથવા અગાઉની સંગૃહિત માહિતી સાથે તેનું સહચર્ય જોડવામાં આવે તો ટુંકા ગાળની સ્મૃતિમાં આવેલી માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં દાખલ થાય છે અને તે માહિતી મિનિટો, કલાકો, દિવસો કે વર્ષો સુધી સચવાઈ રહે છે.
લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહાયેલી દરેક માહિતીનું પુનરાવહન હંમેશા સફળ રીતે થતું નથી. પુનરાવહન કરવામાં અનેક કારણોસર મુશ્કેલી અને અવરોધો આવે છે અથવા નિષ્ફળતા મળે છે.
ઉપર્યુક્ત તંત્રોમાં માહિતી કઈ રીતે પસાર થાય છે, તેને રજૂઆત નીચેના કોષ્ટટકમાં કરવામાં આવી છે :