CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વર્તમાન યુગમાં ઔદ્યોગિક અને ટેકનોલૉજીના ક્ષેત્રમાં થયેલી પ્રગતિના કારણે ઘોંઘાટમાં નોંધપાત્ર વધારો થાય છે.
બિનજરૂરી, અણગમતા અને વ્યક્તિ પર નિષેધક અસર કરતા અવાજને ‘ઘોંઘાટ’ કહેવામાં આવે છે. ઘોંઘાટ એ પર્યાવરણનો પદાર્થ નથી, પરંતુ પ્રદુષણની સમસ્યા છે. જે જીવનસૃષ્ટિના આરોગ્યને નુકસાન પહોંચાડે છે.
અવાજની તીવ્રતા માપવાના એકમને ‘ડેસિબલ’ કહેવામાં આવે છે. પર્યાવરણના સંશોધકો અનુસાર 125 bd થી વધુ તીવ્રતા ધરાવતાં અવાજના કંપનો માનવીના કાનને નુકસાન પહોંચાડી શકે છે. 55 bd કે તેથી નીચી તીવ્રતા ધરાવતો અવાજ આદર્શ ગણાય છે.
મિલ કે કારખાનાંનાં યંત્રો તથા વાહનોના બિનજરૂરી અવાજ, વાર, તહેવાર, કથા, સભા, સરઘસ વગેરેમાં લાઉડ સ્વીકર દ્વારા ફેલાતા વિવિધ અવાજ, રેડિયો, ટેલિવિઝન વગેરે ઇલેક્ટ્રૉનિક ઉપકરણોથી પેદા થતો અવાજ, શહેરોની ગીચ વસ્તીમાં માનવ કોલાહલ, હવાઇ જહાજની ગર્જના વગેરેથી ઘોંઘાટ, અવાજ અને ધ્વનિ પ્રદુષણ થાય છે.
ઘોંઘાટના પ્રદુષણથી શ્રવણશક્તિ નબળી પડે છે. કાનના પડદાને નુકસાન થાય છે અને કોઈક વાર બહેરાશની સ્થિતિ સર્જાય છે.
ઘોંઘાટના પ્રદુષણથી લોહીનું દબાણ વધે છે, પરિણામે લોહીનું પરિભ્રમણ અવરોધાય છે. જેના કારણે આરોગ્યને લગતા પ્રશ્નો ઊભા થાય છે.
ઘોંઘાટના પ્રદુષણની માનવીના જ્ઞાનતંતુ પર અસર પડે છે. માનવી થાક અનુભવે છે, તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, વારંવાર ઉશ્કેરાઇ જાય છે. થાકની અસર પાચનશક્તિ પર પણ પડે છે.
ઘોંઘાટવાળા વાતાવરણમાં કાયમી માથાનો દુખાવો, માનસિક હતાશા, માનસિક તાણ વગેરે ફરિયાદો જોવા મળે છે. ઘોંઘાટના પ્રદુષણને કારણે માનસિક રોગીઓની સંખ્યામાં વધારો થાય છે. શાંતિના અભાવે માનવ દારૂ, ધૂમ્રપાન વગેરે જેવાં વ્યસનો તરફ વળે છે, પરિણામે શારીરિક નુકસાન થાય છે.