CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રા એકબીજાં સાથે ખુબ નજીકથી જોડાયેલાં છે. આથી સમાજશાસ્ત્રને માનવશાસ્ત્રથી બાહુ સરળતાથી જુદું પાડી શકાતું નથી.
માનવશાસ્ત્ર માનવીની ઉત્પત્તિ, વિકાસ અને તેનાં સર્જનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે અને સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે.
માનવશાસ્ત્રની ત્રણ શાખા છે (1) શારીરિક માનવશાસ્ત્ર, (2) સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને (3) પુરાતત્વીય માનવશાસ્ત્ર.
શારીરિક માનવશાસ્ત્ર માનવીના શરીરની રચના, તેનાં શારીરિક લક્ષણો, જાતિઓ અને જાતિઓ વચ્ચેના તફાવતનો અભ્યાસ કરે છે.
સાંસ્કૃતિક માનવશાસ્ત્ર માનવીના આચાર-વિચાર, રૂઢિઓ, જીવનશૈલી, પ્રવૃત્તિઓ, સર્જનો, કલા, હુન્નર, દંતકથાઓ, માન્યતાઓ, શ્રદ્વા, ધર્મ, કુટુંબ, લગ્ન વગેરેનો અભ્યાસ કરે છે.
પુરાતત્વીય માનવશાસ્ત્રમાં પુરાતન સંસ્કૃતિનો ઉદભવ, સભ્યતા અને તેના વિકાસનો અભ્યાસ થાય છે.
સમાજશાસ્ત્ર માનવસમાજનો અભ્યાસ કરે છે તેમાં સમાજની રચના અને કાર્ય, વિભિન્ન જૂથો, જૂથ સંબંધો અને તેમાં આવતાં પરર્તનોનો અભ્યાસ કરે છે.
આમ, માનવશાસ્ત્ર એ સમાજશાસ્ત્રના અભ્યાસની પૂર્વતૈયારીનો તબક્કો છે.
સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના પદ્વતિશાસ્ત્ર અને દ્વષ્ટિકોણમાં તફાવત હોવા છતાં બંને વિજ્ઞાનો માનવી અને તેના જીવન સાથે જોડાયેલાં હોવાથી એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
સમાજશાસ્ત્ર વર્તમાનના અભ્યાસમાં રસ ધરાવે છે, તો માનવશાસ્ત્ર ભુતકાળના અભ્યાસમાં રસ ધરાવે છે.
માનવશાસ્ત્ર માનવીનાં શારીરિક લક્ષણો અને તેની સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરે છે; જ્યારે સમાજશાસ્ત્ર માનવસમાજ, જૂથો, સંસ્થાઓ, સામાજિક પ્રક્રિયાઓ વગેરેનો અભ્યાસ કરે છે.
માનવસમાજ અને તેના સામાજિક સંબંધનો અભ્યાસ કરવો હોય તો સંસ્કૃતિની સમજ મેળવવી જરૂરી છે.
આથી માનવશાસ્ત્રના અભ્યાસ વગર સમાજશાસ્ત્રનો અભ્યાસ અપૂર્ણ છે.