Chapter Chosen

સમાજશાસ્ત્ર પરિચય

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસની માહિતી આપો. 

સમાજશાસ્ત્રના ઉદભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન સંક્ષેપમાં જણાવો. 

સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. 

સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. 

Advertisement
સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વચ્ચેના સંબંધની માહિતી આપો. 

માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા વ્યક્તિગત રીતે અને સામુહિક રીતે આર્થિક પ્રવૃત્તિ કરે છે.

અર્થશાસ્ત્ર વ્યક્તિ અને સમાજની આર્થિક પ્રવૃત્તિ અને તેમાંથી ઉદભવતા આર્થિક પ્રશ્નોનો અભ્યાસ કરે છે.

અર્થશાસ્ત્ર વસ્તુની ઉત્પત્તિ અને તેનું વિતરણ, વિતરણના પ્રકારો, તેમાં આવતાં પરિવર્તનો, માંગ અને પુરવઠો, વસ્તુનું મૂલ્ય, રાષ્ટ્રીય આવક, આર્થિક સંગઠનોનો ઉદભવ, વિકાસ અને તેના લાભાલાભ વગેરે બાબતોનો અભ્યાસ કરે છે. જ્યારે સમાજશાસ્ત્ર સામાજિક સંબંધો અને સમાજમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરે છે.

સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષયક્ષેત્ર અને અભિગમ અલગ હોવા છતાં બંને એકબીજા સાથે જોડાયેલાં છે. માનવીની આર્થિક પ્રવૃત્તિ તે જે સમાજમાં રહે છે તે સમાજમાં જ ઉદભવે છે અને વિકાસ પામે છે. આથી સમાજ આર્થિક ક્રિયાઓથી અને આર્થિક ક્રિયાઓ સમાજથી અસર પામે છે.

અર્થશાસ્ત્ર બેકારીની સમસ્યા માટે કયાં આર્થિક પરિબળો જવાબદાર છે તેનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર બેકારીની સમસ્યાનાં સામાજિક પાસાઓનો અભ્યાસ કરે છે. આમ, બંને સામાજિક વિજ્ઞાનોના દ્વષ્ટિકોણ અલગ અલગ છે.

માનવીની આર્થિક પ્રવૃત્તિને સમજવા માટે તેની સામાજિક પ્રવૃત્તિઓને અને સામાજિક પ્રવૃત્તિઓને સમજવા માટે તેની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો જરૂરી છે.

આમ, બંને સામાજિક વિજ્ઞાનો સમસ્યાઓના અભ્યાસ માટે એકબીજાને મદદરૂપ થાય છે.


Advertisement
Advertisement