CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા વ્યક્તિગત રીતે અને સામુહિક રીતે આર્થિક પ્રવૃત્તિ કરે છે.
અર્થશાસ્ત્ર વ્યક્તિ અને સમાજની આર્થિક પ્રવૃત્તિ અને તેમાંથી ઉદભવતા આર્થિક પ્રશ્નોનો અભ્યાસ કરે છે.
અર્થશાસ્ત્ર વસ્તુની ઉત્પત્તિ અને તેનું વિતરણ, વિતરણના પ્રકારો, તેમાં આવતાં પરિવર્તનો, માંગ અને પુરવઠો, વસ્તુનું મૂલ્ય, રાષ્ટ્રીય આવક, આર્થિક સંગઠનોનો ઉદભવ, વિકાસ અને તેના લાભાલાભ વગેરે બાબતોનો અભ્યાસ કરે છે. જ્યારે સમાજશાસ્ત્ર સામાજિક સંબંધો અને સમાજમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરે છે.
સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષયક્ષેત્ર અને અભિગમ અલગ હોવા છતાં બંને એકબીજા સાથે જોડાયેલાં છે. માનવીની આર્થિક પ્રવૃત્તિ તે જે સમાજમાં રહે છે તે સમાજમાં જ ઉદભવે છે અને વિકાસ પામે છે. આથી સમાજ આર્થિક ક્રિયાઓથી અને આર્થિક ક્રિયાઓ સમાજથી અસર પામે છે.
અર્થશાસ્ત્ર બેકારીની સમસ્યા માટે કયાં આર્થિક પરિબળો જવાબદાર છે તેનો અભ્યાસ કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર બેકારીની સમસ્યાનાં સામાજિક પાસાઓનો અભ્યાસ કરે છે. આમ, બંને સામાજિક વિજ્ઞાનોના દ્વષ્ટિકોણ અલગ અલગ છે.
માનવીની આર્થિક પ્રવૃત્તિને સમજવા માટે તેની સામાજિક પ્રવૃત્તિઓને અને સામાજિક પ્રવૃત્તિઓને સમજવા માટે તેની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો જરૂરી છે.
આમ, બંને સામાજિક વિજ્ઞાનો સમસ્યાઓના અભ્યાસ માટે એકબીજાને મદદરૂપ થાય છે.