Chapter Chosen

સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષની ચર્ચા કરો : મુદ્દાસર જવાબ લખો.

સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સહકારની ચર્ચા કરો. 

સામાજિક ગતિશીલતાના પ્રકાર સમજાવો.

સામાજિક આંતરક્રિયાનાં લક્ષણો સ્પષ્ટ કરો.

Advertisement
સામાજિક ક્રિયાનાં તત્વોની સમજૂતી આપો. 

સમાજશાસ્ત્ર માનવી અને તેના સમાજનો અભ્યાસ કરે છે. સમાજનું એકમ વ્યક્તિ છે. વ્યક્તિ સમાજનાઅ સભ્ય તરીકે જુદી જુદી અર્થપૂર્ણ, સભાનતાપૂર્વક અને હેતપૂર્વક ધ્યેય પ્રાપ્ત કરવા માટે કેટલીક ક્રિયા કરે છે જેને ‘સામાજિક ક્રિયા’ કહે છે.

સામાજિક ક્રિયાનાં તત્વો :

1. ‘સ્વ’ અથવા કર્તા :

કોઈ પણ સામાજિક ક્રિયા કરનારને ‘કર્તા’ કહે છે. આપણે જ્યારે કોઈ પણ કર્તાનો નિર્દેશ કરીએ છીએ ત્યારે તેમાં માનવદેહનો નહી, પરંતુ તેના ‘સ્વ’નો નિર્દેશ હોય છે. ‘સ્વ’ ક્રિયાનું મુખ્ય ચાલક બળ છે.

દરેક વ્યક્તિને પોતાની આગવી ઓળખ હોય છે. વ્યક્તિ એક એકમ છે અને તે સામાજિક સભાનતા અને આત્મચેતના ધરાવે છે. ‘સ્વ’ અનુભવ કરે છે, નિર્ણયો લે છે અને લીધેલા નિર્ણયો પર ચિંતન કરે છે.

‘સ્વ’ને વ્યક્તિત્વ અથવા ચરિત્ર પણ કહે છે. વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રવૃત્તિ અને પ્રત્યાઘાત આપે છે. ‘સ્વ’ દરેક કાર્ય કરવા માટે શરીરને સાધન તરીકે વાપરે છે અને તે દ્વારા ધ્યેય પ્રાપ્ત કરે છે. ‘સ્વ’ ક્રિયા કરાવનાર છે અને ‘સ્વ’ નું ઘડતર સમાજ દ્વારા થાય છે.

ક્રિયા કરનાર કર્તાનો ‘સ્વ’ અન્ય વ્યક્તિઓને, ચીજવસ્તુઓને અથવા પરિસ્થિતિને કઈ રીતે જુએ છે, તેનું કેવું અથઘટન કરે છે, તેના વિશે કઈ લાગણી અનુભવે છે, તેના વિશે શું વિચારે છે, તે સમજવું એ તેની સામાજિક ક્રિયાને સમજવા માટે અત્યંત જરૂરી છે.

‘સ્વ’ને સમજવાથી વ્યક્તિ જગતનું પ્રત્યક્ષીકરણ કેવી રીતે કરે છે તે ‘આત્મલક્ષી’ બાબત જાણવા મળે છે. દા. ત., સમાજમાં ચાલતા ભ્રષ્ટાચારને જોવાની દ્વષ્ટિ.

2. ધ્યેય અથવા લક્ષ્ય :

દરેક સામાજિક ક્રિયા ધ્યેયલક્ષી છે. ધ્યેય એ વ્યક્તિના ‘સ્વ’ની કલ્પના છે.

ધ્યેય એટલે વર્તમાન સમયમાં અસ્તિત્વ ધરાવતી નથી એવી ભવિષ્યની સ્થિતિ. જેને કલ્પના દ્વારા જાણી શકાય છે.
ધ્યેયને પ્રયત્ન અને સંકલ્પ દ્વારા મેળવી શકાય છે.

કર્તાના વર્તનના અર્થઘટનમાં ધ્યેયનું તત્વ મહત્વનું છે. વ્યક્તિનાં સમાજનાં મૂલ્યો અને ધોરણો તેના ધ્યેયની પસંદગીને અસર કરે છે. દા. ત., બ્રાહ્મણ યુવાન કતલખાનાની નોકરીનો સ્વીકાર કરશે નહી.

ધ્યેય માનવીના વિચાર, વ્યવહાર અને વર્તનને અસર કરી છે. વ્યક્તિ ધ્યેયને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નો કરે છે.

ધ્યેય વ્યક્તિ માટે પ્રેરક અને પ્રેરણા છે. ધ્યેય માનવીના વર્તન માટે ચાલક બળ પૂરું પાડે છે. દા. ત., પશ્વિમની સંસ્કૃતિમાં મૂલ્યો વગેરે અગત્યનો ભાગ ભજવે છે. દા.ત. પશ્વિમની સંસ્કૃતિમાં સફળતા એ ધ્યેય છે, જ્યારે હિન્દુ સંસ્કૃતિમાં મોક્ષપ્રાપ્તિ એ જીવનનું ધ્યેય છે.

3. શરતો અથવા સંજોગો :

ધ્યેયપ્રાપ્તિ માટે જેમ સંકલ્પ અને પ્રયત્નોની જરૂર પડે છે, તેમ ધ્યેયપ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોનો જઅણ કરવો પડે છે.

જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેને ‘શરતો’ કહે છે. શરતો કે સંજોગો એવી બાબત છે, જેને પસાર કર્યા વગર ધ્યેયની પ્રાપ્તિ થઇ શકતી નથી. દા. ત., બી.એ.ની ડિગ્રી મેળવવા માટે કૉલેજનો ત્રણ વર્ષનો અભ્યાસ કરવો પડે.

ધ્યેયપ્રાપ્તિ સરળ નથી. ધ્યેયપ્રાતિમાં અનેક અવરોધો આવે છે. જે અવરોધો વ્યક્તિ દુર ન કરી શકે તેને ‘શરતો’ કહેવામાં આવે છે. શરતો વ્યક્તિના કાર્યમાં મર્યાદા બાંધી આપે છે. ‘શરતો’ શારીરિક અથવા બિનશારીરિક હોઈ શકે છે.
ધ્યેયપ્રાપ્તિમાં ત્રણ પ્રકારના અવરોધો હોય છે, જે નીચે પ્રમાણે છે :

  • કર્તાની શારીરિક શક્તિ : શારીરિક અશક્તિ ધ્યેયપ્રાપ્તિમાં અવરોધ પેદા કરે છે. દા. ત, લશ્કરમાં જોડાવવું હોય, પરંતુ જરૂરી ઊંચાઇ, વજન, શારીરિક ક્ષમતા વગેરે ન હોય.
  • ભૌગોલિક પર્યાવરણ : ભૌગોલિક વાતાવરણ ધ્યેયપ્રાપ્તિમાં અવરોધ પેદા કરે છે. દા.ત., પ્રવાસ માટે સમયસર રેલવે સ્ટેશને પહોંચવું હોય, પરંતુ માર્ગમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ આવે. 
  • સામાજિક પર્યાવરણ : આર્થિક, સામાજિક વાતાવરણ ધ્યેયપ્રાપ્તિમાં અવરોધ પેદા કરે છે. દા.ત., ડૉક્ટર બનવું હોય, પરંતુ કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોય; અન્ય જ્ઞાતિની વ્યક્તિ સાથે લગ્નસંબંધથી જોડાવવું હોય, પરંતુ જ્ઞાતિના ‘અંતર્લગ્ન’નાં ધોરણો માન્યતા આપતા ન હોય. 

4. સાધનો :

સાધનો ધ્યેયપ્રાપ્તિ માટે આવશ્યક છે. સાધનો એટલે વ્યક્તિની પરિસ્થિતિનાં એવાં પરિબળો કે જેમના પર કર્તાનો કાબૂ હોય છે. આવાં સાધનો કર્તાને તેની ધ્યેયપ્રાતિમાં મદદરૂપ થાય છે. સાધનોનું સ્વરૂપ સરળ અથવા જટિલ હોઈ શકે છે.

કોઇ પણ ધ્યેયની પ્રાપ્તિ માટે ધ્યેયને અનુરૂપ સાધન હોવું જરૂરી છે. ઘણી વાર એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે એક કરતાં વધુ સાધનોની જરૂર પડે છે.

કોઇક વાર વ્યક્તિએ જુદાં જુદાં સાધનોમાંથી કોઈ એક જ સાધનની પસંદગી કરવાની હોય છે. સાધનની પસંદગીમાં ભૂલ થાય, તો ધ્યેયપ્રાપ્તિ થતી નથી. દા. ત., ધનપ્રાપ્તિ માટે નોકરી કે વ્યવસાય થઈ શકે છે.
કોઈક એક પરિસ્થિતિમાં એક કર્તા માટે જે સાધન હોય તે સાધ્ય બને અને અન્ય કર્તા માટે તે સાધન સંજોગ પણ થઈ શકે છે.

કોઈ એક પરિસ્થિતિમાં જે ધ્યેય હોય તે અન્ય પરિસ્થિતિમાં સાધન થઈ શકે છે. દા. ત વિદ્યાર્થી અવસ્થામાં ડિગ્રી પ્રાપ્ત કરવી એ ધ્યેય હોય છે, પરંતુ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તે નોકરીપ્રાપ્તિના ધ્યેયન્યં ઉપયોગી સાધન બની જાય છે.


Advertisement
Advertisement