Chapter Chosen

સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સામાજિક ક્રિયાનાં તત્વોની સમજૂતી આપો. 

સામાજિક ગતિશીલતાના પ્રકાર સમજાવો.

સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સહકારની ચર્ચા કરો. 

Advertisement
સામાજિક આંતરક્રિયાનાં લક્ષણો સ્પષ્ટ કરો.

વ્યક્તિ સમાજના સંદર્ભમાં અન્ય વ્યક્તિ સાથે જોડાઇને સામાજિક ક્રિયા કરે છે, ત્યારે એકબીજા પર અસર કરે છે. આવી પારસ્પરિક ક્રિયાને ‘સામાજિક આંતરક્રિયા’ કહેવામાં આવે છે.

સામાજિક આંતરક્રિયાનાં લક્ષણો :

1. બે કે તેથી વધુ પક્ષો :

સામાજિક આંતરક્રિયા માટે ઓછામાં ઓછા બે કે તેથી વધુ પક્ષો અનિવાર્ય છે. એક પક્ષથી સામાજિક આંતરક્રિયા થતી નથી. દા. ત., પતિ અને પત્ની તથા માતા અને બાળક વચ્ચે થતી સામાજિક આંતરક્રિયા બે વ્યક્તિઓ વચ્ચેની છે. જ્યારે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે થતી સામાજિક આંતરક્રિયા વ્યક્તિ અને જૂથ વચ્ચેની છે. ક્રિકેટની બે ટીમો વચ્ચે થતી સામાજિક આંતરક્રિયા બે જૂથો વચ્ચેની છે. સામાજિક આંતરક્રિયા પ્રત્યક્ષ કે મોઢામોઢની પણ હોઈ શકે છે. અથવા સામાજિક આંતરક્રિયા પરોક્ષ સ્વરૂપની પણ હોઈ શકે છે. અથવા સામાજિક આંતરક્રિયા પરોક્ષ સ્વરૂપની પણ હોઈ શકે છે. પરોક્ષ સ્વરૂપની આંતરક્રિયામાં સમૂહ માધ્યમોની જરૂર પડે છે.

2. માધ્યમ :

માત્ર બે પક્ષથી જ સામાજિક આંતરક્રિયા શક્ય બનતી નથી, પરંતુ પરસ્પર બંને પક્ષો વચ્ચે અસર ઊભી કરવા અથવા અર્થપૂર્ણ અભિવ્યક્તિ કરવા કોઈ પણ માધ્યમ હોવું જરૂરી છે. માધ્યમમાં શારીરિક હાવભાવનું કોઈ પણ સ્વરૂપ, શાબ્દિક ભાષા, ચિત્રો વગેરેનો ઉપયોગ થઈ શકે છે. દા. ત., બહેરા-મૂંગા વ્યક્તિઓ વચ્ચે થતી ક્રિયા અને પ્રતિક્રિયા. સામાજિક આંતરક્રિયામાં જે માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે માધ્યમ સામાજિક અર્થ ધરાવવું હોવું જોઈએ અને માધ્યમ દ્વારા વ્યક્તિ થતા અર્થ, ભાવ અને લાગણી બધા પક્ષો સમજતા હોવા જોઈએ. દા. ત., રાષ્ટ્રધ્વજ, શાળામાં વિદ્યાર્થીઓનો ગણવેશ.

3. પારસ્પરિક અસર :

સામાજિક આંતરક્રિયા પરસ્પર અસર ઉપજાવનારી ઘટના છે. જેમાં વ્યક્તિ અથવા જૂથ પર વાણી, ભાષા, પુસ્તકો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે દ્વારા અસર ઊભી થાય છે. જે અસર બાહ્ય વર્તન સ્વરૂપે તથા વલણ, માન્યતા, હિત, અપેક્ષા વગેરે જેવી આંતરિક અસર સ્વરૂપે થઈ શકે છે. દા. ત., બાળક માતા-પિતાના સૂચન મુજબ જે વર્તન કરે તે બાહ્ય અસર છે અને બાળકને માતા-પિતા માટે જે અહોભાવ મનમાં પેદા થાય તે આંતરિક અસર છે.

આમ, સામાજિક આંતરક્રિયા પરસ્પર સંબંધવાળી પ્રવૃત્તિ છે. તે પરસ્પર ઉદ્દીપનની પ્રક્રિયા છે અને પરસ્પર અવલંબિત છે.


Advertisement
સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષની ચર્ચા કરો : મુદ્દાસર જવાબ લખો.

Advertisement