CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સામાજિક સ્તરરચના સાથે સામાજિક ગતિશીલતા જોડાયેલી છે. સામાજિક ગતિશીલતા એટલે સમાજની સ્તરરચનામાં વ્યક્તિ કે જૂથની સામાજિક ગતિ. વ્યક્તિ કે જૂથનાં સ્થાન તેમની જરૂરિયાતો, આકાંક્ષાઓ, શક્તિઓ અને પ્રયત્નો અનુસાર બદલાય છે. જેને ‘સામાજિક ગતિશીલતા’ કહેવામાં આવે છે.
સામાજિક ગતિશીલતાના પ્રકાર :
1. આડી સામાજિક ગતીશીલતા :
એકસમાન સ્તર પર આવેલા એક જૂથમાંથી બીજા જૂથમાં વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય તેને ‘આડી સામાજિક ગતિશીલતા’ કહેવામાં આવે છે. આડી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે, પરંતુ તેનું સ્તર બદલાતું નથી. દા. ત., એક શાલાનો શિક્ષક પોતાની શાળા છોડી બીજી શાળામાં શિક્ષક તરીકે જોડાય ત્યારે આડી સામાજિક ગતિશીલતા થઈ કહેવાય છે. અહીં શિક્ષકની પ્રતિષ્ઠા, આવક કે સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી. ભારતની જ્ઞાતિવ્યવસ્થા આડી સામાજિક ગતિશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે.
સમાજશાસ્ત્રી બ્રુમ અને સેલ્ઝનિકના મતે, “એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી સામાજિક ગતિશીલતા.”
2 ઊભી સામાજિક ગતિશીલતા :
ઊભી સામાજિક ગતિશીલતા એ આડી સામાજિક ગતિશીલતા વિરુદ્વનો ખ્યાલ છે. ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાનફેર થાય છે અને સાથે સાથે સ્તર કે દરજ્જો પણ બદલાય છે. ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના હક, દરજ્જા, પ્રતિષ્ઠા, આવક, સત્તા વગેરેમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જુથ પોતાના મૂળ સામાજિક દરજ્જામાંથી ઉપલા અથવા નીચલા સામાજિક દરજ્જામાં એમ બંને દિશામાં જઈ શકે છે. આથી ઉભી સામાજિક ગતિશીલતા બે પ્રકારની હોય છે : (i) ઊર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને (ii) નિમ્નગામી ઊભી ગતિશીલતા.
(i) ઊર્ધ્વગામીએ ઊભી ગતિશીલતા :
ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ પોતાના મૂળ સામાજિક દરજ્જાવાળા સ્તરમાંથી ઊંચા સામાજિક દરજ્જાવાળા સ્તરમાં સ્થળાંતર કરે છે. આમ, વ્યક્તિ કે જૂથના સ્થાન અને સ્તર બંને ઊંચા થાય છે. દા. ત., માધ્યમિક શાળાનો શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શાળાનો શિક્ષક બને. ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતાનાં બે સ્વરૂપો છે :
(ii) નિમ્નગામી ઊભી ઊભી ગતિશીલતા :
નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતા એ ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતા કરતાં વિરુદ્વ છે. નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતામાં સ્થાન બદલાવાની સાથે બદલાતું સ્તર પણ પોતાના મૂળ સ્થાન કરતાં નિમ્ન હોય છે. આ ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ મૂળ સ્તરમાંથી નિમ્ન સ્તરમાં સ્થળાંતર કરે છે. નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતાનાં બે સ્વરૂપો છે :
આમ, કોઇ પણ સમાજ સામાજિક ગતિશીલતા વગરનો નથી. તેમાં આડી સામાજિક ગતિશીલતા કે ઊભી સામાજિક ગતિશીલતા જોવા મળે છે.