Chapter Chosen

સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તન

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સંઘર્ષની ચર્ચા કરો : મુદ્દાસર જવાબ લખો.

Advertisement
સામાજિક ગતિશીલતાના પ્રકાર સમજાવો.

સામાજિક સ્તરરચના સાથે સામાજિક ગતિશીલતા જોડાયેલી છે. સામાજિક ગતિશીલતા એટલે સમાજની સ્તરરચનામાં વ્યક્તિ કે જૂથની સામાજિક ગતિ. વ્યક્તિ કે જૂથનાં સ્થાન તેમની જરૂરિયાતો, આકાંક્ષાઓ, શક્તિઓ અને પ્રયત્નો અનુસાર બદલાય છે. જેને ‘સામાજિક ગતિશીલતા’ કહેવામાં આવે છે.

સામાજિક ગતિશીલતાના પ્રકાર :

1. આડી સામાજિક ગતીશીલતા :

એકસમાન સ્તર પર આવેલા એક જૂથમાંથી બીજા જૂથમાં વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય તેને ‘આડી સામાજિક ગતિશીલતા’ કહેવામાં આવે છે. આડી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે, પરંતુ તેનું સ્તર બદલાતું નથી. દા. ત., એક શાલાનો શિક્ષક પોતાની શાળા છોડી બીજી શાળામાં શિક્ષક તરીકે જોડાય ત્યારે આડી સામાજિક ગતિશીલતા થઈ કહેવાય છે. અહીં શિક્ષકની પ્રતિષ્ઠા, આવક કે સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી. ભારતની જ્ઞાતિવ્યવસ્થા આડી સામાજિક ગતિશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે.
સમાજશાસ્ત્રી બ્રુમ અને સેલ્ઝનિકના મતે, “એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી સામાજિક ગતિશીલતા.”

2 ઊભી સામાજિક ગતિશીલતા :

ઊભી સામાજિક ગતિશીલતા એ આડી સામાજિક ગતિશીલતા વિરુદ્વનો ખ્યાલ છે. ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાનફેર થાય છે અને સાથે સાથે સ્તર કે દરજ્જો પણ બદલાય છે. ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના હક, દરજ્જા, પ્રતિષ્ઠા, આવક, સત્તા વગેરેમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જુથ પોતાના મૂળ સામાજિક દરજ્જામાંથી ઉપલા અથવા નીચલા સામાજિક દરજ્જામાં એમ બંને દિશામાં જઈ શકે છે. આથી ઉભી સામાજિક ગતિશીલતા બે પ્રકારની હોય છે : (i) ઊર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને (ii) નિમ્નગામી ઊભી ગતિશીલતા.

(i) ઊર્ધ્વગામીએ ઊભી ગતિશીલતા :

ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ પોતાના મૂળ સામાજિક દરજ્જાવાળા સ્તરમાંથી ઊંચા સામાજિક દરજ્જાવાળા સ્તરમાં સ્થળાંતર કરે છે. આમ, વ્યક્તિ કે જૂથના સ્થાન અને સ્તર બંને ઊંચા થાય છે. દા. ત., માધ્યમિક શાળાનો શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શાળાનો શિક્ષક બને. ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતાનાં બે સ્વરૂપો છે :

  • વ્યક્તિલક્ષી ઊર્ધ્વગામી ઊભી ગતિશીલતા : જ્યારે નિમ્ન સ્તરની કોઈ વ્યક્તિ પોતાના સ્તરથી ઉચ્ચ સ્તરમાં સ્થાનાંતર કરે ત્યારે ‘વ્યક્તિલક્ષી ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતા’ કહેવાય. દા. ત., સરકારી નોકરીમાં કોઈ કારકુન ઑફિસર બને.
  • જૂથલક્ષી ઊર્ધ્વગામી ઊભી ગતિશીલતા : જ્યારે નિમ્ન સ્તરની વ્યક્તિઓનું જૂથ પોતાના સ્તરમાંથી ઉચ્ચ સ્તરમાં સ્થાનાંતર કરે ત્યારે ‘જૂથલક્ષી ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતા’ કહેવાય. દા. ત., ટૅલિવિઝનના અભિનેતા અને અભિનેત્રીઓ કોઈ ફિલ્મના અભિનેતા અને અભિનેત્રીઓ બને. 

(ii) નિમ્નગામી ઊભી ઊભી ગતિશીલતા :

નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતા એ ઊર્ધ્વગામી ઊભી સામાજિક ગતિશીલતા કરતાં વિરુદ્વ છે. નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતામાં સ્થાન બદલાવાની સાથે બદલાતું સ્તર પણ પોતાના મૂળ સ્થાન કરતાં નિમ્ન હોય છે. આ ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ મૂળ સ્તરમાંથી નિમ્ન સ્તરમાં સ્થળાંતર કરે છે. નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતાનાં બે સ્વરૂપો છે :

  • વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા : જ્યારે કોઈ વ્યક્તિ ઊચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં સ્થળાંતર કરે ત્યારે ‘વ્યક્તિલક્ષી નિમ્નગામી ઊભી સામાજિક ગતિશીલતા’ કહેવાય છે. દા. ત., માધ્યમિક શાળાનો શિક્ષક, પ્રાથમિક શાળાનો શિક્ષક બને.
  • જૂથલક્ષી નિમ્નગામી ઊભી ગતિશીલતા : જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં સ્થાળાંતર કરે ત્યારે ‘જુથલક્ષી નિમ્નગામી ઊભી સામાજિક ગતીશીલતા’ કહેવાય. દા. ત., ગણોતધારો અને જમીન ટોચમર્યાદાનો કાયદો અમલમાં આવતાં મોટા જમીનદારો મર્યાદિત જમીનના માલિક તરીકે ખેડુત બન્યા, દેશી રાજ્યોનું વલીનીકરણ થતાં રાજ્યોના રાજાઓ સામાન્ય નાગરિક બન્યા. 

આમ, કોઇ પણ સમાજ સામાજિક ગતિશીલતા વગરનો નથી. તેમાં આડી સામાજિક ગતિશીલતા કે ઊભી સામાજિક ગતિશીલતા જોવા મળે છે.


Advertisement
સામાજિક આંતરક્રિયાનાં લક્ષણો સ્પષ્ટ કરો.

સામાજિક ક્રિયાનાં તત્વોની સમજૂતી આપો. 

સામાજિક આંતરક્રિયાના સ્વરૂપ તરીકે સહકારની ચર્ચા કરો. 

Advertisement