સામાજિક રચનાતંત્રની કાર્યાત્મક સમસ્યાઓની સમજૂતી આપો.
સમાજશાસ્ત્રી ટાલ્કેટ પાર્સન્ટનું AGIL મૉડેલ સામાજિક રચનાતંત્રની કાર્યાત્મક સમસ્યાઓ હલ કરે છે, જે આ પ્રમાણે છે : (1) અનુકુલન, (2) ધ્યેયપ્રાપ્તિ, (3) સુગ્રથન તથા (4) રચનાની જાળવણી અને તંગદીલી-નિવારણ.
પાર્સન્સનું AGIL મૉડેલ સામાજિક રચનાતંત્રની કાર્યાત્મક સમસ્યાઓ હલ કરે છે અને સામાજિક સંતુલન સાધે છે. આ સંતુલન સાધવા માટે જુદાં જુદાં ક્રિયાતંત્રો કામ કરે છે, જેમાં સમાજીકરણ મહત્વનું ક્રિયાતંત્ર છે. સમાજીકરણના આ ક્રિયાતંત્ર દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય છે અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.