CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવસમાજની મહત્વની અને પાયાની સંસ્થા એટલે કુટુંબસંસ્થા એમ કહેવાય. સમગ્ર સમાજવ્યવસ્થાના સફળ અને સુવ્યવસ્થિત સંચાલન તથા અસ્તિત્વ માટે કુટુંબ આધાર પ પુરો પાડે છે.
વ્યક્તિનું સમગ્ર જીવન કુટુંબ સાથે સંકળાયેલું હોય છે, જ્યારે બાળક જન્મે છે ત્યારે તે માત્ર જૈવિક વાસસો જ ધરાવતું હોય છે. બાળકને સામાજિક બનાવવાનું કાર્ય કુટુંબ કરે છે.
જન્મથી મૃત્યુ સુધીની માનવીની વિવિધ આવશ્યકતાઓ કુટુંબ દ્વારા સંતોષાય છે.
કુટુંબ વ્યક્તિને સામાજિક સંસ્કારો દ્વારા સભ્ય બનાવવાનું કાર્ય કરે છે.
દરેક માનવસમાજમાં કુટુંબનું અસ્તિત્વ જોવા મળે છે.
સમાજ માટે પણ ‘કુટુંબસંસ્થા’ મહત્વની છે. કારણ કે, દરેક સમાજને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવા સભ્યોની જરૂર પડે છે. કુટુંબસંસ્થા પ્રજનન દ્વારા આ કાર્ય કરે છે.
કુટુંબ માત્ર નવા સભ્યો ઉમેરવાનું જ્કામ નથી કરતું, પરંતુ સમાજ માટે જવાબદાર સભ્યો બનાવવાનું, નવી પેઢીને સામાજિક તથા સાંસ્કૃતિક વારસો આપવાનું અને તેમના સમાજીકરણનું અગત્યનું કાર્ય પણ કરે છે.