ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવતા પદાર્થ પરિરક્ષકો અને ઍન્ટિઑક્સિડન્ટસ વિશે ચર્ચા કરો.
1. ખાદ્ય પદાર્થ પરિરક્ષકો :
ખાદ્ય પદાર્થોને ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુથી બગડતા અટકાવવા માટે અથવા લાંબો સમય જાળવવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને ખાદ્ય પદાર્થ પરિક્ષકો કહે છે.
સામાન્ય રીતે રોજિંદા જીવનમાં આપણે મીઠું, ખાંડ તથા વનસ્પતિ તેલનો ખાદ્ય પદાર્થના પરિરક્ષક તરીકે ઘરગથ્થું ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટા-બાયસલ્ફાઇટ તથા પ્રોપિયોનિક ઍસિડ અને સોર્બિક ઍસિડના ક્ષાર પણ ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે ઉદ્યોગમાં વપરાય છે.
2. ઍન્ટિઑક્સિડન્ટસ :
કેટલાક રાસાયણિક પદાર્થોને ખાદ્ય પદાર્થોમાં ઉમેરવાથી તેના પર થતી ઑક્સિજનની અસર ધીમી પડતાં ખોરાકની જાળવણી લાંબા સમય સુધી થાય છે. આ પ્રકારના રાસાયણિક પદાર્થોને ઍન્ટિઑક્સિડન્ટસ કહે છે. ઑક્સિજન પ્રત્યે ઍન્ટિઑક્સિડન્ટસ વધુ ક્રિયાશીલ હોવથી ખોરાકને રક્ષણ મળે છે.
સાઇટ્રીક ઍસિડ, ઍસ્કોર્બિક ઍસિડ, બ્યુટાઇલેટેડ હાઇડ્રૉક્સિ ટૉલ્યુઇન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રૉક્સિ એનિસોલ અગત્યના ઍન્ટિઑક્સિડન્ટસ છે.