Chapter Chosen

રોજિંદા જીવનમાં રાસાયણિક

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સાબુનીકરણ એટલે શું ? તેનું રાસાયણિક સમીકરણ લખો. નાહવાનાસાબુ, ધોવાના સાબુ અને ઔષધિયુક્ત સાબુની બનાવટ દરમિયાન કયા વિશેષ પદાર્થો ઉમેરવામાં આવે છે તે જણાવો.

ઘા કે જખમને નુકસાન પહોંચાડનાર સૂક્ષ્મ જીવોનો નાશ કરનાર કે તેની વૃદ્વિ અટકાવનાર ઔષધોને શું કહે છે ?
  • પ્રશાંતકો

  • પ્રતિજીવીઓ

  • જીવાણુનાશી

  • સંક્રમણહારકો


Advertisement
ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવતા પદાર્થ પરિરક્ષકો અને ઍન્ટિઑક્સિડન્ટસ વિશે ચર્ચા કરો.

1. ખાદ્ય પદાર્થ પરિરક્ષકો :

ખાદ્ય પદાર્થોને ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુથી બગડતા અટકાવવા માટે અથવા લાંબો સમય જાળવવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને ખાદ્ય પદાર્થ પરિક્ષકો કહે છે.

સામાન્ય રીતે રોજિંદા જીવનમાં આપણે મીઠું, ખાંડ તથા વનસ્પતિ તેલનો ખાદ્ય પદાર્થના પરિરક્ષક તરીકે ઘરગથ્થું ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ મેટા-બાયસલ્ફાઇટ તથા પ્રોપિયોનિક ઍસિડ અને સોર્બિક ઍસિડના ક્ષાર પણ ખાદ્ય પદાર્થ પરિરક્ષક તરીકે ઉદ્યોગમાં વપરાય છે.

2. ઍન્ટિઑક્સિડન્ટસ :

કેટલાક રાસાયણિક પદાર્થોને ખાદ્ય પદાર્થોમાં ઉમેરવાથી તેના પર થતી ઑક્સિજનની અસર ધીમી પડતાં ખોરાકની જાળવણી લાંબા સમય સુધી થાય છે. આ પ્રકારના રાસાયણિક પદાર્થોને ઍન્ટિઑક્સિડન્ટસ કહે છે. ઑક્સિજન પ્રત્યે ઍન્ટિઑક્સિડન્ટસ વધુ ક્રિયાશીલ હોવથી ખોરાકને રક્ષણ મળે છે.

સાઇટ્રીક ઍસિડ, ઍસ્કોર્બિક ઍસિડ, બ્યુટાઇલેટેડ હાઇડ્રૉક્સિ ટૉલ્યુઇન અને બ્યુટાઇલેટેડ હાઇડ્રૉક્સિ એનિસોલ અગત્યના ઍન્ટિઑક્સિડન્ટસ છે.

Advertisement
નીચેનાં પૈકી કયું વિધાન સાચું છે ?
  • જે ઔષધ સંદેશાવાહકને સ્થાને ગ્રાહી પદાર્થ સાથે જોડાઇને કોષની પ્રત્યાયન ક્રિયાને રોકે છે, તેને એગોનિસ્ટ કહે છે.

  • જે ઔષધને ગ્રાહી પદાર્થ કુદરતી સંદેશાવાહક સમજી સ્વીકારે છે અને પ્રત્યાયન ક્રિયાને રોકે છે, તેને એગોનિસ્ટ કહે છે.

  • ઔષધો ઉત્સેચકના સક્રિયસ્થાનને બદલે જુદા સ્થાને જોડાય છે, તે સ્થાનને ઍલોસ્ટેરિક સાઇટ કહે છે.

  • પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિયસ્થાઅને જોડનાર ઔષધોને ઉત્સેચક નિરોધક કહે છે.


રાસાયણચિકિત્સાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
  • ઍલેકઝાન્ડર ફ્લેમિંગ
  • હાવર્ડ ફ્લોર

  • પૌલ એહરલિચ

  • અર્નસ્ટ બોરિસ ચેઈન


Advertisement