Chapter Chosen

સર્વોચ્ચ અદાલત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નર્મદા યોજના એ ઘણી મહત્વની યોજના છે. તેનાથી કોઈ નાગરિકના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહી. આવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે શા માટે આપ્યો ? એ વિશે ચર્ચા કરો.

નર્મદા ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્ત્યોની સૌથી મોતી નદી છે. તેનાં વિનાશક પૂર પર નિયંત્રણ લાવવા અને તેના વિરાટ જળરાશિનો ઉપયોગ કરવા તેના પર ગુજરાતમાં નવાગામ ખાતે 'સરદાર સરોવર યોજના' બની છે. આ યોજના ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની સહિયારી યોજના છે. આ ચારેય રાજ્યોના વિકાસ માટે નર્મદા યોજના ઘણી મહત્વની છે.

નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઉંચાઈ 110 મીટરથી વધે નહી તે માટે મધ્ય પ્રદેશ તેમજ પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ યોજનાની સામે વિરોધ નોંધાવ્યો. તેમના મતે આ બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓને હટવું પડશે. તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે. ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચેનો આ વિવાદનો ઉકેલ લાવવા 8 માર્ચ, 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતાં જણાવ્યું કે, વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતાં સરદાર સરોવર યોજના ઘણી મહત્વની છે. આ યોજનાને કારણે સજીવસૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. આ યોજનાથી ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં પાણી પહોંચાડી શકશે અને એ વિસ્તારોમાં રણને આગળ વધતું અટકાવી શકશે. આ યોજનાથી વિપરી, અસર પામતા લોકોનું ક્રમશ: પુનવર્સન કરવામાં આવશે. તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે નહી.

Advertisement
જાહેરહિતની અરજીની વ્યવસ્થાને શા માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે ?

મ્યુનિસિપાલિટીના કેસને ધ્યાનમાં રાખીને નીચે આપેલાં વાક્યો વાંચો. જે વાક્ય સાચું હોય તેની સામે કરુ અને જે વાક્ય ખોટું હોય તેની સામે  કરી તેને સુધારીને ફરીથી લખો :
1. મ્યુનિસિપાલિટી આ કેસને જિલ્લાની અદાલતમાં લઈ ગઈ, કારણ કે તેને નીચેની અદાલતના ચુકાદાથી સંતોષ થયો નહી.
2. તે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરુદ્વ વદી અદાલતમાં ગઈ.
3. તેના વિશેના ચુકાદામા6 સર્વોચ્ચ અદાલતે વડી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો.

રતલામ મ્યુનિસિપાલિટીના કેસમાં વિવિધ અદાલતોએ આપેલા ચુકાદાઓ જણાવો.


ન્યાતતંત્ર શા માટે સ્વતંત્ર હોવું જોઈએ ?

Advertisement