અંગ્રેજી શાસન સમયના ખેસૂતો અને વર્તમાન સમયના ખેડૂતો વચ્ચે શો તાફાવત છે ?
અંગ્રેજી શાસન સમયના ખેડૂતો અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલનીતિને કારણે પાયમાલ થયા હતા. કાયમી જમાબંધી માનની મહેસૂલ પદ્વતિને અમલ થતાં ખેડુતોની જમીન જમીનદારો પાસે જતી રહી. ખેડૂતો ઠંડી-ગરમીમાં તનતોડ મજૂરી કરીને ખેતી કરતા, પરતુ તેમના હાથમાં આંસુ સિવાય કંઈ આવતું નહી. અંગ્રેજી શાસન સમયના ખેડુતો ગરીબી અને ભૂખમરામાં સબડતા હતા.
અત્યારના સમયમાં ખેડૂતો લોકશાહી દેશના સ્વતંત્ર નાગરિકો છે. તેઓ પોતાની જમીનનો માલિકીહક ધરાવે છે. તેઓ પોતાનાં ખેતરોમાં પોતાની ઇચ્છા મુજબ ખેતી કરી શકે છે અને પાકોની સારી આવક મેળવી શકે છે. ખેડૂતોને સરકાર તરફથી સિંચાઈ, વીજળી, રાસાયણિક ખાતરો, બિયારણો વગેરેની સગવડો મળે છે. આમ, અત્યારના સમયના આપણા દેશના ખેડૂતો મુક્તપણે ખેતી કરી શાંતિ અને સુખચેનથી જીવી રહ્યા છે.